પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

પાટણનાં પંચાસર જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં જૈનાચાર્ય શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયજી મારા સાહેબ આદિ ઠાણા નું બુધવારે થશે પાવન પદાર્પણ થશે .આ પ્રસંગે ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા મુનિરાજ શ્રી ની નિશ્રામાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીજી મહારાજા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નું આયોજન બુધવારે કરવામાં આવશે,
આ પ્રસંગે સવારે 6.30 વાગ્યે જૈન બોર્ડિંગથી મુનિરાજના પદાર્પણ અને જૈનાચાર્ય ની પુણ્યતિથિ ની નિમિત્તે શોભાયાત્રા નું આયોજન થશે. ત્યાર બાદ સવારે 7.30 વાગ્યે ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં જૈનાચાર્ય ની ગુણાનુવાદ તેમજ પ્રવચન યોજાશે, તેમજ જયન્તસેનસૂરીજી અષ્ટ પ્રકારી પૂજન, પંચાસરા જિનાલય સહિત અનેક જગ્યાએ ભગવાન ની અંગરચના, સામુહિક આયંબિલ તપ, જૈનાચાર્ય ની આરતી અને જીવદયા સહિત અનેક ધાર્મિક સામાજિક આધ્યાત્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, મુનિરાજ ના પદાર્પણ ને લઈ ને પાટણ નાં જૈન સંઘ અને સ્થાનિક નાગરિકો માં ઉત્સાહ નું વાતાવરણ બન્યું છે.
પૂર્વમાં મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં 1271 દિવસ ની પાટણ માં સ્થિરતા કરી ને સંસ્કૃત પ્રાકૃત ભાષા ના અનેક ગ્રંથો નું ધાર્મિક અધ્યયન કરનાર મુનિરાજ નિપુણરત્નવિજયજી મહારાજ આદિ ઠાણા ના પદાર્પણ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં મુનિરાજ ની સ્થિરતા દરમિયાન પ્રતિદિન પ્રવચન યોજાશે.