અંબાજીએક કલાક પહેલા
- કૉપી લિંક
ગાયત્રી પરિવાર દ્વારા અનેક યોગ, યજ્ઞ અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણ અને લોકોના સુખકારીના હિત માટે ગાયત્રી પરિવાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. અંબાજીમાં ગાયત્રી પરિવારનું આશ્રમ આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો અને કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો સેવા ભાવિક કામગીરી કરતા હોય છે. ત્યારે અંબાજીમાં યોજાતા તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગાયત્રી પરિવાર દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે.

આ અનુષ્ઠાન શિબિર પ્રાતઃકાલ 3:45 કલાકે જાગરણથી રાત્રીના 9 કલાક સયન સુધીના ટાઈમ શિડ્યુલ મુજબ યોગ, ધ્યાન, આરતી, યજ્ઞ, પ્રવચન, સંગીત સંધ્યા, ગરબા વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અંબાજી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શંકરલાલ પટેલ અને ડાહીબેન પટેલ દ્વારા શિબિરાર્થીઓને વન વિહાર, વનસ્પતિઓની ઓળખ, પ્રકૃતિ દર્શન, શાંતિ કુંજના વીડિયોઝ બતાવી ગુરુજીના લોકહિતના સાચા ઉદ્દેશ આપના જીવનમાં અમલીકરણ બાબતે સમજ આપવામાં આવી. સાથે સાથે સાધકોને વિનામૂલ્યે ઉતારા અને સાત્વિક ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી.

અંબાજી ગાયત્રી શક્તિપીઠ દ્વારા સપ્તસુત્રી કાર્યક્રમને વેગ મળે અને પ્રચારાત્મક કાર્યક્રમો કરવા જ્ઞાન રથ અનુષ્ઠાનમાં આવેલા શિબીરાર્થીઓ સાથે રેલી સ્વરૂપે અંબાજી પહોંચી મંદિરના વહીવટદાર અને પ્રાયોજનના અધિકારી કુમારી રિદ્ધિ વર્માના વરદ હસ્તે ઉદઘાટન કરી અંબાજીમાં નગરયાત્રા યોજવામાં આવી. અંબાજી ગાયત્રી શક્તિપીઠમાં ડુંગરની ટોચ ઉપર પ્રાકૃતિનાં સાંનિધ્યમાં હજારો ઔષધીય વૃક્ષો અને ફૂલ ઝાડ રોપવામાં આવ્યા છે. તે બળદેવ પટેલ અને વિપુલ ગુર્જર દ્વારા સમજ આપવામાં આવી. આ બધુ દેખી અનુષ્ઠાનમાં આવેલા પરિજનોએ ખુબજ આનંદ આવ્યાનું અને પુન: અનુષ્ઠાન/શિબિરમાં આવવાના વાયદા તેઓના પ્રતિભાવમાં જણાવ્યા.

આ શિબિરમાં ઉડીને આંખે વળગે તેવી બાબતમાં ગોંડલથી આવેલા પ્રજ્ઞા પુરાણી વરિષ્ઠ કાર્યકર્તા ભરતસિંહ જાડેજાના વડપણ હેઠળ 20 કાર્યકર્તા ભાઈ-બહેનો દ્વારા કોઇપણ કાર્યમાં અગ્રેસર રહેવાની અને પરિવાજક અશોકકુમાર ઉદાહરણ રૂપ વ્યક્તિત્વ તેમજ શંકરભાઈ અને ડાહીબેનની આગેવાની હેઠળની ટીમ દ્વારા જંગલમાં મંગલનું વ્યવસ્થા તંત્ર પ્રેરણા રૂપ રહ્યું. સાથે સાથે નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિ સાથે રામ નવમી ઉત્સવ મનાવી સર્વે લોકોએ એક અનોખી ખુશી વ્યક્ત કરી.
