અમરીગઢ RTO ચેકપોસ્ટ નજીત ટ્રકની પાછળ કાર ઘૂસી, બે લોકોના ઘટનાસ્થળે જ મોત, બે ઇજાગ્રસ્ત | Amrigarh RTO Checkpost Najit car rammed into truck, two killed on the spot, two injured | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અમીરગઢ પાસે આવેલી અને હાલમાં બંધ હાલતમાં પડેલ આર ટી ઓ ચેકપોસ્ટ પાસે આગળ જતાં ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર ચારમાંથી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે બે ની હાલત ગંભીર હોઈ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ પાલનપુર હાઈવે પર અવાર નવાર અકસ્માતો થઈ રહ્યા છે. આ અકસ્માતોની સર્જાઈ રહેલી હારમાળામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે આર ટી ઓ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા ટ્રેલરની પાછળ એક કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અમીરગઢ હાઇવે પર અમદાવાદથી રાજસ્થાન જતી કારના ચાલકને સવારની ઊંઘનું ઝોખું આવી જતા સ્ટેરીંગ પરનું કાબૂ ગુમાવતા આગળ જતાં ટ્રેલરની પાછળ કારને ઘુસાડી દેતા ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અમદાવાદના બે વ્યક્તિઓના કરુણ મોત થયા હતા. જ્યારે બેને ઈજાઓ થઈ હતી.

અકસ્માત થયાનો અવાજ આવતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિઓને કારમાંથી નીકળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી. પોલીસે મરણજનાર વ્યક્તિઓની લાશને પી.એમ. માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post