ઊંંઝા26 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઊંઝામાં પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ખાતે દાતા નરેન્દ્ર કાનજીભાઈ પટેલ દ્વારા સ્કૂલવાન અર્પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઊંઝા apmc ચેરમેન દિનેશ પટેલ તેમજ સ્કૂલવાન દાન આપનાર દાતા નરેન્દ્ર કાનજીભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી.

ઊંઝા ખાતે ચાલતું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ મંદિરમાં દિવ્યાંગ બાળકો માટે સહાયનું કામ કરી રહ્યુ છે. જ્યાં દિવ્યાંગ બાળકોને અભ્યાસ તેમજ અન્ય પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. માનવ મંદિરમાં આવતા દિવ્યાંગ બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ બાળકો પોતાના પગ ઉપર ઉભા થઇ શકે એના માટે અગરબત્તી બનાવીને તેઓ સ્વરોજગરી મેળવી રહ્યા છે.



