જુનાગઢ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
જૂનાગઢના સરદારબાગ નજીક ગૌરીપીર મસ્જીદ પાછળના વિસ્તારમાં માથાભારે તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. જેને પગલે ગૌરી પીર મસ્જીદના લતા વાસીઓ અને ઘાંચી સમાજના પ્રમુખ દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ઘાંચી સમાજના પ્રમુખ કાસમભાઈ મુસાભાઈ કારવાતે જણાવ્યું હતું કે, ગૌરી પીર વિસ્તારમાં હનીફબાબા ખરૈશી નામનો માથાભારે શખ્સ રહે છે, તેવો સમાજમાં અવાર-નવાર ડખા કરાવે છે અને ખોટી અરજી કરે છે. તેઓએ તાગળશપીર કેશોદમાં પણ વકફ બોર્ડના અધિકારી વિરૂધ્ધ ખોટી અરજીઓ અને રજૂઆત કરી છે. તેઓ લતામાં આવેલા ગૌરીપીર મસ્જીદ દરગાહ બાબતે પણ લોકોને ખોટી રીતના ભડકાવે છે અને તેવો ખોટી ફરીયાદ કરવા બાબતે ટેવાયેલા છે. જેથી માથાભારે શખ્સ ઉપર પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે. અગાવ રમજાન માસમાં તેવો ઉપર ફરીયાદ થયેલ તે બાબતે 14 દિવસ જેલમા રહેલ છે. આ રમજાનમા પણ તેઓએ અન્ય મુસ્લીમ વિરૂધ્ધ મારામારી કરીને ખોટી ફરીયાદ કરેલ છે, જેથી રમજાન માસમાં ખોટા ઝગડા ઉભા કરીને તહેવાર બગાડવાની ખોટી કોશીસ કરેલ હતો જેથી તેવા માણસના કારણે સમાજમાં અંદરો અંદર ડખા થાય છે. તેમજ તેના કારણે ખુન ખરાબા થાય તેવી શક્યતાઓ રહે છે. જેથી ગૌરી પીર લતામાં રહેતા હનીફ બાબા ખુરેશી ઉપર તાત્કાલીક પગલા લઈ તેવા વ્યકિતઓને પાસા હેઠળ કાયદાકીય કરવા ગૌરી પીર લતા વાસીઓની રજૂઆત હતી.