Thursday, April 27, 2023

ભાવનગરમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, ઠેરઠેર ગેરકાયદેસર દબાણ સામે કલેક્ટરે તપાસનો હુકમ કર્યો | A welcome grievance redressal program was held in Bhavnagar, the Collector ordered an inquiry against illegal pressure everywhere | Times Of Ahmedabad

ભાવનગર8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં આજરોજ યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોનાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. પોતાનાં પ્રશ્નોનાં સ્થળ પર જ ઝડપી નિરાકરણ આવતા સ્વાગત કાર્યક્રમને અરજદારો દ્વારા વધાવામાં આવ્યો હતો અને જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા અરજદારોનાં પ્રશ્નો સાંભળી ત્વરીત નિર્ણય લઇ જવાબદાર અધિકારીઓને સુચનો પાઠવવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમનાં 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ઉજવણી
આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રસ્તાઓ, દબાણો, વિજળી, જમીન સહિતનાં પડતર પ્રશ્નો રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં અરજદારોનાં પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવતા “સ્વાગત કાર્યક્રમ”ની પહેલને ભાવેણાનાં અરજદારો દ્વારા આ પહેલને સાર્થક સાબિત કરી હતી. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીનાં કાર્યકાળમાં નાગરિકોનાં પ્રશ્નોનાં સુખદ નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે કાર્યક્રમનાં 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

પાલિતાણાના વડિયા ગામે ગેરકાયદેસર દબાણ સામે તપાસનો હુકમ
સ્વાગત કાર્યક્રમ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વડીયા ગામમાં ગેરકાયદેસર દબાણ અંગેના પ્રશ્નનું રજૂઆતનો સકારાત્મક ઉકેલ આવ્યો છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વડીયા ગામમાં થયેલા ગેરકાયદેસર દબાણ અંગેનો પ્રશ્ન ગ્રામજન સુરેશભાઇ બારૈયાએ રજૂ કર્યો હતો. આ પ્રશ્નનું સુખદ નિરાકરણ કલેક્ટરે સંબધિત વિભાગના અધિકારીઓને સ્થળ તપાસના આદેશ આપીને જો દબાણ જોઈ તો આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

થોરડી ગામે ગેરકાયદેસર દબાણ સામે સ્થળ તપાસનો આદેશ
આ ઉપરાંત અન્ય એક કેસમાં પણ ભાવનગરના થોરડીના રહેવાસી ગિરીશભાઈ બોરિચાએ જાહેર સ્થળો પર થયેલ દબાણ અંગે ફરિયાદ કરી હતી એમાં કલેક્ટરે સંબધિત અધિકારીને સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કલેક્ટર દ્વારા તેમના પ્રશ્નનું સુખદ નિરાકરણ સાથે પ્રશ્નનો યોગ્ય નિકાલ આવતા અરજદારે જિલ્લાતંત્ર અને સરકારનો આભાર માન્યો હતો.
​​​​​​​પ્રદૂષણની ફરિયાદ સામે કલેકટરએ તપાસ આદેશ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે ગામતળ માટે નીમ થયેલ જમીનમાં ભરડીયાના લીધે ધૂળ અને અવાજનો ખૂબ જ પ્રદૂષણ થતું હોઈ એવી ફરિયાદ કરી હતી જેનો કલેકટરએ પ્રશ્ન સાંભળીને સંબધિત વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આમ, અરજદારને કલેકટર દ્વારા ધ્યાનપૂર્વક સાંભળીને તેનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે. પટેલ સહિતના જિલ્લાનાં વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts: