Saturday, April 8, 2023

'હું કંટાળી ગઈ છું' લખી મહિલાએ ચોથા માળેથી ઝંપલાવ્યું,જૂની અદાવતનો ખાર રાખી મામા-ભાણેજ પર ઘાતકી હુમલો | Writing 'I am bored', the woman jumped from the fourth floor, brutally attacked the uncle-nephew, keeping the bitterness of the old enmity. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Writing ‘I Am Bored’, The Woman Jumped From The Fourth Floor, Brutally Attacked The Uncle nephew, Keeping The Bitterness Of The Old Enmity.

રાજકોટ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલા સાગર ચોકના ક્વાટર્ટરમાં બ્લોક નં.16માં રહેતાં માયાબેન મોહનભાઇ ટાંક (ઉ.વ.44) નામના મહિલાએ મોડી રાતે ક્વાર્ટરના ચોથા માળેથી પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે.પોલીસે તપાસ કરતાં એક સ્યુસિાઇડ નોટ મળી આવી હતી.આ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે,હું જિંદગીથી કંટાળી ગઇ છું,કોઇનો વાંક નથી એવું લખાણ લખ્યું છે.

સાથે રહેતા પ્રૌઢે પણ ઝેરી દવા પીધી હતી
આ મહિલાના છુટાછેડા થઇ ગયા હતાં અને એકલા રહેતાં હતાં. તેમને એક પુત્ર છે.પોલીસે વિશેષ તપાસ કરતાં એવી વિગતો સામે આવી હતી કે,આ મહિલાની સાથે મકસુદભાઇ મહમદભાઇ કુરેશી રહેતાં હતાં. મકસુદભાઇના પત્નિ, સંતાનો નાના મવા આવાસ ક્વાર્ટરમાં રહે છે. મકસુદભાઇ ત્યા પણ આવતાં જતાં હતાં. તે સ્કૂલ બસનું ડ્રાઇવીંગ કરે છે. બે દિવસ પહેલા મકસુદભાઇએ તેના નાનામવા આવાસના ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. એ પછી હોસ્પિટલમાંથી રજા લીધી હતી અને ગઈ કાલે સાંજે ફરીથી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. તેમણે હરસની બિમારીનું કારણ આપ્યું હતું. દરમિયાન હવે મકસુદભાઇની સાથે રહેતાં માયાબેને આપઘાત કરી લેતાં ચકચાર જાગી છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

જલવિધી કર્યા બાદ યુવકે એસીડ પી લીધુ
હનુમાન મઢી પાસે શીવપરા-1માં રહેતા જીતેન્દ્રભાઈ મુકેશભાઈ રાઠોડ (ઉ.વ.29) આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા.ત્યારે અસીડ-પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.વધુમાં મળેલ વિગત અનુસાર યુવક મજુરી કામ કરે છે અને તેમની છ દિવસ પહેલા જ જલવિધી થઈ હતી. જે બાદ તેમનું કયાંય મન લાગતુ ન હતું. અને બેચેન જ રહેતો હતો જેથી કંટાળીને યુવકે પગલું ભર્યાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જેતપુર-રાજકોટ હાઇવે પર ઓટો રિક્ષા પલટી ગઈ; સાતને ઇજા
રાજકોટ-જેતપુર હાઇવે પર આજે સવારના સમયે વિરપુર અને પીઠડીયા વચ્ચે એક ટ્રકે ઓટો રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી ગઈ છે. તેમાં બેઠેલા 6-7 લોકોને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાંથી અમૂક મજૂરોને વધુ સારવારની જરૂર પડતાં જુનાગઢ રિફર કરાયા હતા. આ સમગ્ર બનાવ અંગે એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે,રિક્ષામાં બેઠેલા મજૂરો નવાગઢથી મજૂરી કામ માટે મજૂરો વીરપુર જતા હતા.ત્યારે રિક્ષા ટ્રકની અડફેટે ચડી ગઈ હતી. આ મામલે હાલ વીરપુર પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી હતી.

પાણીની મોટર ચાલુ કરતાં વિજશોકથી મહિલાનું મોત
રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા ખરેડી ગામમા રહેતી મહિલા ગઈ કાલે સાંજે તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા મોટરમાં વિજશોક લાગતા તેને તાત્કાલીક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે તેને ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.આ અંગેની માહિતી મુજબ રાજકોટના ખરેડી ગામે રહેતી અરૂણાબેન જેન્તીભાઈ રામાણી (ઉ.વ.33) નામની મહિલા ગઈ કાલે સાંજે પોતાના ઘરે પાણીની મોટર ચાલું કરવા જતા મોટરમાં વિજશોક લાગતા તે ઘરે બે ભાન થઈ ઢળી પડી હતી. ત્યારે તેને ગંભીર હાલતમાં સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે તેનું સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે મોત જાહેર કરેલ હતું. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક અરૂણાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું જાણવા મળ્યુ હતું. અરૂણાબેનના લગ્નને દસ વર્ષ થયા હતાં.એમના પતિ જેન્તીભાઈ મંજુરી કામ કરે છે. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થ ખસેડાયો હતો.

મામા-ભાણેજ પર કૌટુંબીક શખ્સોએ તલવારથી હુમલો કર્યો
રાજકોટ હડમતીયા ગોલીડા પાસે શીખ મામા ભાણેજ પર જુની અદાલતનો ખાર રાખી કૌટુંબીક ત્રણ શખ્સોએ તલવારથી હુમલો કરતાં ઈજાગ્રસ્ત મામા-ભાણેજને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં.પ્રાપ્ત વિગત અનુસાર સરધાર ગામે રહેતા પ્રધાનસિંગ સંતોષસિંગ દુદાણી (ઉ.વ.35) રાજકોટમાં ઈંડાની લારી ચલાવે છે. અને તેનો ભાણેજ જોગેન્દ્રસિંગ મીન્તસિંગ બાડમ લોખંડના કારખાનામાં કામ કરે છે. ગત રોજ મામા ભાણેજ બંન્નેનું કામ પુરૂ થયા બાદ સાથે જોગેન્દ્રસિંગના ઘરે કુવાડવા જતા હતાં. ત્યારે બંન્ને હડમતીયા ગોલીડા પાસે ચા પિવા માટે ઉભા હતાં. ત્યારે પાછળથી આવેલા તેના કુટુંબી ભાઈ રામુસિંગ, જોયસિંઘ, અજીતસિંગ, સહીતનાઓએ તલવારથી હુમલો કરી નાસી છુટયા હતાં. હુમલામાં ઘવાયેલા મામા ભાણેજને 108 મારફતે સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તના નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ઈજાગ્રસ્ત પ્રધાનસિંગે જણાવ્યું હતું કે, તેના કુટુંબી અજીતસિંઘ સાથે 15 દિવસ પહેલા ઝઘડો થયો હતો. અને બાદમાં ફોન પર ગાળા ગાળી થઈ હતી. જેનો ખાર રાખી શખ્સોએ હુમલો કર્યો હતો.

ચોકમાં બેસવા બાબતે બબાલ થતા બે પક્ષો બાખડયા
જુની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરા-2માં રહેતાં મુમતાઝબેન સતારભાઇ ચોહાણ (ઉ.વ.65)ને સાંજે ઘર પાસે સમીર, મયુર સહિતે પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિાટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.મુમતાઝબેનના સગાએ જણાવ્યા મુજબ તેનો પુત્ર ફારૂક ઘર નજીક ચોકમાં બેઠો હોઇ મયુર, સમીરે ચોકમાં બેસવાની ના પાડી માથાકુટ કરતાં મુમતાઝબેન તેને છોડાવવા જતાં તેને માર મારવામાં આવ્યોુ હતો.સામા પક્ષે નાનુબેન રઝાકભાઇ મુસાણી (ઉ.વ.50) પણ પોતાને ઘર પાસે મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિવટલમાં દાખલ થયા હતાં. સારવાર બાદ બંનેએ રજા લીધી હતી.

ઓસ્કાર સ્કાય પાર્કમાં જુગાર રમતી બે મહીલા સહીત ચાર પકડાયા
અયોધ્યા ચોક પાસે ઓસ્કાર સ્કાય પાર્કના ફલેટમાં જુગાર રમતી બે મહીલા સહીત ચાર શખ્સોને પોલીસે પકડી રૂા.43800નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ગોપાલસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે 150 ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલ ઓસ્કાર સ્કાય પાર્ક બી-2ના ફલેટ નં.70માં રહેતી આરતીબેન પોતાના મકાનમાં જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી પતા ટીંચતી આરતીબેન ભરત સુરૂ, ધર્મિષ્ઠાબેન મિતેશ માણેક, મયુર તુલસી તન્ના અને હિતેષ લાભશંકર પંડયા ને દબોચી રૂા.43800ની રોકડ કબ્જે કરી હતી.બીજા દરોડામાં રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પીરની દરગાહ સામે જાહેરમાં ચલણી નોટ પર એકી-બેકીની સંખ્યાનો જુગાર રમતા સુનીલ જસમત બાબરીયા અને કાન્તી દાના જાદવને પોલીસે દબોચી રૂા.10 હજારની રોકડ કબ્જે કરી હતી. અન્ય એક દરોડામાં ચંદ્રેશનગર મેઈન રોડ, માયાણી ચોક પાસે જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમાડતો પ્રકાશ દિનેશ ઉનડકટને મોલવીયાનગર પોલીસે દબોચી રૂા.1400ની રોકડ કબ્જે કરી હતી.

3 ચોરાઉ મોબાઇલ સાથે રાજકુમારને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે જંગલેશ્વરના રાજાકુમારને ક્રાઇમ બ્રાંચે દબોચી રૂ.15 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેડળ પીએસઆઇ કે.ડી. પટેલ ટીમ સાથે પેટ્રોલીંગમા હતા.ત્યારે સ્ટાફને મળેલ ચોકકસ બાતમીને આધારે જંગલેશ્વરના ભવાન ચોકની બાજુમાં રહેતા રાજાકુમાર પ્રદિપ શાહને ત્રણ ચોરાઉ મોબાઇલ ફોન સાથે દબોચી રૂ.15 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, આરોપી વિરૂદ્ધ એક વર્ષ પહેલા મોબાઇલ ચોરીની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.

અનેક ગુનામાં સંડોવાયેલા દિનેશ પાસા તળે જેલહવાલે
માલવીયાનગર પોલીસ મથકની ટીમે એક ગુનામાં સંડોવાયેલા છોટુનગરના દિનેશ વાજેલીયાને પાસામાં અમદાવાદ જેલમાં ધકેલ્યો હતો. તેમજ નવ માસથી પેરોલ જંપ કરી નાસતા ફરતા શખ્સને ઝડપી લીધો હતો.માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ આઈ.એન. સાવલીયા અને ટીમે અનેક ગુનામાં સંડોવાયેલા દિનેશ અજય વાજેલીયા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલાતા દરખાસ્ત કમિશ્ર્નરે મંજુર કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે કરવાનો હુકમ કરતા સ્ટાફે આરોપીને જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.જયારે છેલ્લા નવ માસથી રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી બહાર નિકળ્યા બાદ પેરોલ જંપ કરી નાસતા ફરતા વિનોદ રામજી રાઠોડને માલવીયાનગર પોલીસે મવડી ચોકડી પાસેથી આરોપીને દબોચી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.

‘તને અને તારા બાપને મારી નાખવા છે’ કહી યુવકને સમીર જુણેજાએ ધમકી આપી
જામનગર રોડ પર અગાઉની માથાકૂટનો ખાર રાખી દલિત યુવકને ભોમેશ્વરના સમીર જુણેજાએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે ફરિયાદી રોહીતભાઇ વીજયભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે,તા.6 ના સાંજના એક્ટિવામાં ઘરે જતો હતો ત્યારે ગુરૂભાઇની કરીયાણાની દુકાન નજીક પાછળથી બાઇકમાં ઘસી આવેલા સમીર મુનાભાાઇ જુણેજાએ ફરિયાદીની બાઇક આગળ બાઇક આડી રાખી કહેલ કે, તમારે જેટલા ભેગા કરવા હોય એટલા કરી લેજો બધાને છરી મારી દેવી છે. તારા બાપુજી કે તને એકાદ બેને મારી નાખવા છે.તમે બઘા રેલીમાં ભેગા થઇને મારા વિરુદ્ધ જે આવેદન આપેલ છે તેના લીધે જીવતા રહેવા દેવા નથી ઘમકી આપી ગાળો આપવા લાગેલ હતો. જે બાદ રોહિત ત્યાંથી ઘરે ચાલ્યો ગયો હતો. વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ધમકી આપનાર સમીર સાથે તેના બાપુજી અજયભાઇ વાઘેલાને 26 જાન્યુઆરી દિવસે ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં માથાકુટ થયેલ અને તે અંગે પોલીસ કેસ થયેલ અને સમાજના લોકોએ આવેદન આપેલ હતુ જે બાબતનો ખાર રાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી જાનથી મારે નાખવાની ધમકી આપેલ હતી. જે અંગે પ્ર.નગર પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: