પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહીને કારણે હાલમાં હડકંપ મચ્યો છે. શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ થયા બાદ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: ANI
પશ્ચિમ બંગાળ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની (પાર્થ ચેટર્જી) ધરપકડ થયા બાદ તેમના નજીકના અર્પિતા મુખર્જીની ધડપકડ કરવામાં આવી હતી. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે અર્પિતા મુખર્જીની (અર્પિતા મુખર્જી) ગાડીનો અકસ્માત થયો છે. આ અકસ્માત સોલ્ટ લેક વિસ્તારમાં થયો હતો. કોર્ટથી સીજીઓ કોમ્પ્લેક્સ જવાના માર્ગમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઈડીના કાફલામાં ઈનોવા કાર આવી. જોકે તમામ સુરક્ષિત છે. અર્પિતા મુખર્જીને સુરક્ષિત રીતે CGO સંકુલમાં લઈ જવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આજે EDએ અર્પિતા મુખર્જીને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે અર્પિતાને એક દિવસના ED રિમાન્ડ પર મોકલી છે. તેને સોમવારે 25 જુલાઈએ વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહીને કારણે હાલમાં હડકંપ મચ્યો છે. શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ થયા બાદ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવતીકાલે તેમને કોર્ટના આદેશ અનુસાર ભુવનેશ્વરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યાં તેમની સારવાર કરવામાં આવશે. તેમના નજીકના અર્પિતા મુખર્જી પર પણ ઈડીએ તપાસ ચલાવી હતી.
પશ્ચિમ બંગાળ | પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સાથી અર્પિતા મુખર્જીને લઈ જતું વાહન જ્યારે કોલકાતાની બેંકશાલ કોર્ટમાંથી CGO સંકુલમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે નજીવો અકસ્માત થયો હતો.
SSC કૌભાંડ કેસમાં તેણીને એક દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવી છે pic.twitter.com/s7IGC8dnMH
— ANI (@ANI) જુલાઈ 24, 2022
કોણ છે અર્પિતા મુખર્જી?
અર્પિતા મુખર્જી એક અભિનેત્રી છે. તેણે બંગાળી, તમિલ, ઉડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પાર્થ ચેટરજીની નજીકની સાથી છે. તે પાર્થ ચેટર્જી દ્વારા સંચાલિત દુર્ગા પંડાલનું કામ સંભાળે છે.
ઘરમાંથી મળ્યા 21 કરોડ
તમને જણાવી દઈએ કે શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, જે બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની ધડપકડ કરીને તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમના ઘરમાંથી 13-14 પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા હતા.
અર્પિતા મુખર્જીની જામીન અરજી રદ્દ
આજે અર્પિતા મુખર્જીને ઈડી દ્વારા વધુ રીમાન્ડ માટે કોર્ટમાં હાજર કરી હતી. જ્યા અર્પિતા મુખર્જીની જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેને કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હતી. અર્પિતા મુખર્જીનું કહેવુ છે કે તે નિર્દોષ છે અને આ બધી ભાજપની ચાલ છે.