Sunday, July 24, 2022

બનાસકાંઠા જિલ્લામાં નદી કાંઠાના ગામોને મામલતદારે સાવચેત કર્યા, નદીના પટમાં ન જવા સૂચના આપી | In Banaskantha district, Mamlatdar alerted the riverside villages, advised them not to go into the river bed.

બનાસકાંઠા (પાલનપુર)20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કાંકરેજ તાલુકાના 33 ગામો અને અમીરગઢ તાલુકાના 14 ગામોના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને સુચના અપાઇ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની 28 જૂલાઈ 2022 સુધી આપવામાં આવી છે જેને લઇ વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. જેમાં નદી કાંઠા વાળા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

47 ગામના સરપંચ-તલાટીને સાવચેત કરાયા
જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખુશીનો માહોલ છે.બનાસકાંઠા જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને નદીમાં ચાલુ પ્રવાહે ન ઉતરવા સૂચના આપવામાં આવી છે. કાંકરેજ અને અમીરગઢ તાલુકાના નદી કાંઠાના 47 જેટલા ગામના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને સુચના આપવામાં આવી છે.

કયા તાલુકામાં કેટલો વરસાદ?
ના
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે સવારે 6 લઈ સાંજના વાગ્યા સુધીમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ એન્ટ્રી કરી છે. જેમાં અમીરગઢમાં 18 મીમી કાંકરેજમાં 10મીમી, ડીસામાં 47 મીમી, થરાદમાં 149 મીમી, દાંતામાં 24 મીમી, દાંતીવાડામાં 31 મીમી, દિયોદરમાં 25 મીમી, ધાનેરામાં 48 મીમી, પાલનપુરમાં 63 મીમી, ભાભરમાં 36 મીમી, લાખણીમાં 95 મીમી, વડગામમાં 62 મીમી, વાવમાં 65 મીમી, સુઈગામમાં 81 મીમી વરસાદ આજે વહેલી સવારના 6 વાગ્યાં થી સાંજના 6 વાગ્યાં સુધીમાં વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…