ગોવાના (Goa) ડીજીપી જસપાલ સિંહનું નિવેદન પણ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ સોનાલીને જાણી જોઈને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે કેમ.

Sonali Phogat
બીજેપી નેતા સોનાલી ફોગાટના (Sonali Phogat) મૃત્યુનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. આ મામલે ગોવા પોલીસનો (Goa Police) નવો રિપોર્ટ સામે આવ્યો છે. એવું કહેવાય છે કે સોનાલીના પીએએ 12 હજારમાં ડ્રગ્સ ખરીદ્યું હતું અને ડ્રગ્સ માટે વેઇટરને 5000 અને 7000 હજાર રૂપિયા આપ્યા હતા. આ સિવાય આ મામલામાં ગોવાના ડીજીપી જસપાલ સિંહનું નિવેદન પણ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ સોનાલીને જાણી જોઈને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે કેમ. આ બાબતે નવીનતમ અપડેટ્સ પર એક નજર કરીએ.
- ગોવા પોલીસના રિપોર્ટમાં જણાવાયું છે કે સોનાલીના પીએએ 12 હજારમાં ડ્રગ્સ ખરીદ્યું હતું અને ડ્રગ્સ માટે વેઈટરને 5000 અને 7000 હજાર રૂપિયા આપ્યા હતા. આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સોનાલીનું મોત MDMAના ઓવરડોઝને કારણે થયું છે. તે હોટલના રૂમ બોય પાસેથી ખરીદ્યો હતો.
- આ મામલામાં ગોવાના ડીજીપી જસપાલ સિંહનું નિવેદન પણ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ સોનાલીને જાણી જોઈને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે કેમ.
- તેમણે કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે સોનાલી ગોવામાં શૂટ માટે આવી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, પરિવારના આરોપ પર 302નો કેસ નોંધવામાં આવ્યો છે.
- આ મામલે ગોવાના સીએમ પ્રમોદ સાવંતનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સોમવારે સાંજે ગોવા પોલીસ હરિયાણાના સીએમ અને હરિયાણા ડીજીપીને અત્યાર સુધીની તપાસનો સંપૂર્ણ રિપોર્ટ આપશે. તેમણે કહ્યું કે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે તેમની વાત થઈ છે.
- પ્રમોદ સાવંતે કહ્યું, સોનાલીનો પરિવાર સીબીઆઈ તપાસની માગ કરી રહ્યો છે, ગોવા પોલીસ ખૂબ જ યોગ્ય રીતે તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમ છતાં જો સીબીઆઈ તપાસની માગ કરવામાં આવશે તો અમે તેના પર વિચાર કરીશું.
- સેન્ટ એન્થોની હોસ્પિટલમાં પોલીસની પૂછપરછ પર જાણવા મળ્યું કે સુધીર પાલ સાંગવાન અને સુખવિંદર સિંહ નામના બે વ્યક્તિઓ મૃતક સોનાલી ફોગાટને વેગાટોર વિસ્તારના લિયોની રિસોર્ટમાંથી સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લાવ્યા હતા. જે બાદ સુધીર પાલ સાંગવાન અને સુખવિંદર સિંહની પૂછપરછમાં જાણવા મળ્યું કે 22 ઓગસ્ટના રોજ મૃતક સોનાલી ફોગાટ, સુધીર પાલ અને સુખવિંદર ફ્લાઈટથી ગોવા આવ્યા હતા.
- આ મામલામાં પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે સોનાલી ફોગટને બેચેની લાગતી હતી, ત્યાર પછી સુધીર પાલ તેને બપોરના સમયે મહિલા શૌચાલયમાં લઈ ગયો હતો, જ્યાં તેને ઉલ્ટી થઈ હતી. થોડા સમય પછી તે પાછી આવી અને ફરીથી ડાન્સ કરવા લાગી હતી. ત્યારબાદ ફરી થોડા સમય બાદ તેમની તબિયત બગડવા લાગી.