વલસાડ20 મિનિટ પહેલા
- કૉપી લિંક

- મુંબઈ રહેતી દીકરીના પરિવારના સભ્યો ફોન ન ઉપડતા મામલો પ્રકાશમાં આવ્યો
વલસાડના મોગરાવાડી રહેતા એક પરિવારે અર્થક મંદીથી કંટાળીને એક જ પરિવારના 4 સભ્યોએ ઊંઘની દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો મુંબઈ રહેતી એક દીકરી વારંવાર ફોન ઉપર પ્રયાસ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા પરિવારમાંથી કોઈ પણ ઉચકતા નજીકમાં રહેતા એક સબંધ જઈને ઘટનાની જાણ કરી હતી નજીકમાં રહેતા સંબંધી તાત્કાલિક ઘરે પહોંચી ચેક કરતા શ્રમિક પરિવારના 4 સભ્યોએ ઊંઘની 10 દવા પી લઈ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા શિવદર્શન એપાર્ટમેન્ટ, શારદાધામ સોસાયટી આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા બ્રાહ્મણ પરિવારના 4 સભ્યોએ આર્થિક મંદીથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુકેશભાઈ અનિલભાઈ મહેતા જે વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. ઘરમાં પત્ની મીના મુકેશ મહેતા., દીકરો પ્રથમેશ મુકેશ મહેતા, જે પારડીની રેડીમેન્ટ દુકાનમાં નોકરી કરવા જતો હતો. દીકરી ટીના મુકેશ મહેતા એક સાથે 10 જેટલી ઊંઘની ગોળીઓ પી ગયા હતા. તેમની મુંબઈ રહેતી દીકરી એ માતા પિતાને ફોન કરી રાગી હતી. પરિવારના કોઈપણ સભ્યો ફોન ન ઉપડતા નજીકમાં રહેતા એક પરિચિત યુવકને ફોન કરીને મદદ લઈને પરિવારના સભ્યોને ચેક કરવા જતાં પરિવારના તમામ સભ્યોએ ઉંઘની 10-10 ગોળીઓ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા તાત્કાલિક 108ની ટીમની મદદ મેળવીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા
