બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ આજે ખાદી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેઓની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ સ્થળે તેઓ લોકોને મળવા પણ ગયા હતા.
ખાદી મહોત્સવમાં તેમણે ગુજરાતની 7500ની સાથે ચરખો કાંત્યો હતો. તેઓ ખાદી ઉધોગના વિકાસ માટે પહેલાથી જ પ્રોત્સાહન આપતા રહ્યા છે.
રિવરફ્રન્ટ પર આયોજીત ખાદી મહોત્સવમાં 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે ચરખો ચલાવ્યો હતો. 7500 મહિલા કારીગરો એક સાથે ખાદી કાંતતા હોય તેવું વિશ્વમાં પ્રથમ વખત બન્યું… કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી પર ટ્રાઈ કલરનું વસ્ત્ર પહેરીને આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદીએ ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઓફિસનું પણ ઉદઘાટન કર્યું.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, માત્ર 8 વર્ષમાં ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યા છે. તેમજ ખાદી ફોર ફેશનના સંકલ્પમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનો સંકલ્પ પણ ઉમર્યો હતો.