યુવતીને બચાવવાની શકય ન લાગતા તેઓ અને નજીક રહેલા માછીમારો (Fishermen) હોડીમાં પાણીમાં રવાના થયા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાંથી આ યુવતીને બચાવી હતી. ત્યારબાદ યુવતીના નામ અને પરિવારની વિગતો જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
ભરૂચના (Bharuch) નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીની મોતની છલાંગ લગાવી હતી. જેના ફૂટેજ જોવા મળ્યા હતા. આ ઘટનામાં સદનસીબે માછીમારો (Fishermen) હોડી લઈને જઈ રહ્યા હતા તેમણે યુવતીને બચાવી લીધી હતી અને પ્રાથમિક સારવાર માટે મોકલી આપી હતી. યુવતીને બચાવી લીધા બાદ સામાજિક કાર્યકરે તેને આશ્વાસન આપીને આમ કરવાનું કારણ પૂછ્યું હતું. તેમજ તેને સધિયારો આપ્યો હતો.
નર્મદા બની છે રૌદ્ર સ્વરૂપા
નોંધની છે કે છેલ્લા કેટલાક દિવસથી નર્મદામાં ઉપરવાસનું પાણી છોડાઈ રહ્યું હોવાથી નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે અને સમુદ્રમાં જેમ તોફાની મોજા ઉછળે તેમ નર્મદા નદીમાં પણ પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. ત્યારે આવા પ્રવાહમાં યુવતીએ શા માટે ઝંપલાવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો.
સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ કોવિડ સ્મશાન ખાતે હતા ત્યારે પાણીમાં મોટા ધૂબાકાનો અવાજ સંભળાયો હતો આથી તે અને નજીકના લોકો પાણીની અંદર ગયા હતા. પરંતુ તે રીતે યુવતીને બચાવવાની શકય ન લાગતા તેઓ અને નજીક રહેલા માછીમારો (Fishermen) હોડીમાં પાણીમાં રવાના થયા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાંથી આ યુવતીને બચાવી હતી. ત્યારબાદ યુવતીના નામ અને પરિવારની વિગતો જાણવાનો પ્રયત્ન કર્યો હતો.