Tuesday, August 30, 2022

વિસાવદરના મોટા કોટડાના આગેવાન સામે નોંધાયેલા એટ્રોસિટીની ફરિયાદનો મામલો, રાગદ્વેષ રાખી ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ | Case of atrocity complaint registered against head of Visavadar's big cell, allegation of filing complaint out of hatred

જુનાગઢ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગામલોકો દ્વારા આવારાતત્વોના ત્રાસ અંગે ફરિયાદ કરવામાંઆવી

વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે 27 ઓગસ્ટે ગામના સામાજિક આગેવાન અને પૂર્વ સરપંચ કનુભાઈ કાનાણી, તેમના ભાઈ અને પુત્ર સહિત ચાર સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે આજે ગ્રામજનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ફરિયાદ રાગદ્વેષ રાખી નોંધાવાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ન્યાયિક તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.

ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, વિસાવદર તાલુકાનું મોટા કોટડા ગામમાં તમામ વર્ગના લોકો જ્ઞાતિના લોકો એકબીજા પરસ્પર ભાઈચારાની ભાવનાથી અને ભાવ પ્રેમથી રહે છે. ભુતકાળમાં આવો કોઈ બનાવ બનેલો નથી કે જેનાથી ગામમાં ખોટું વૈમનસ્ય ઉભું થાય તેમજ ઉપરોક્ત રીતે કોઈ બનાવ વિના અને વિનાકારણે મોટા કોટડા ગામમાં રહેતા તમામ જ્ઞાતિ જાતિના લોકો વચ્ચે ખોટી રીતે વૈમનસ્ય ઊભું થાય તેવા બદઈરાદાથી જે તે ફરિયાદી દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…