- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Scars Were Seen Carrying Nanami Across The River Due To The Lack Of A Bridge; The People Of Ansol Suffered A Lot In The Midst Of The Big Booms Of Development
અરવલ્લી (મોડાસા)39 મિનિટ પહેલા
- કોઈપણ કામકાજ, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવું હોય તો મેશ્વો નદી વટાવીને જવું પડે છે
ભિલોડા તાલુકાના શામળાજી પાસે આવેલું અણસોલ ગામ મેશ્વો નદીના કિનારે આવેલું છે. અણસોલ ગામમાં લગભગ 4 હજારથી વધુની વસ્તી રહે છે. કોઈપણ કામકાજ હોય, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવું હોય તો મેશ્વો નદી વટાવીને જવું પડે છે. હાલ ગામમાં એક વ્યક્તિનું મોત થતા તેનો મૃતદેહ મેશ્વો નદીના ઢીંચણસમા પાણીમાં થઈને લઈ જવા મજબુર થવું પડ્યું છે. નદીમાંથી લઈ જવાતી આ નનામીના વરવા દ્રશ્યો નજરે પડતાં ગામનો કેટલી હદે વિકાસ થયો છે એનું અનુમાન લગાવી શકાય છે.

પુલના અબાવે નનામી નદીમાંથી લઈ જવાનો વારો આવ્યો
સ્વજનો નદીના ઢીંચણસમા પાણીમાંથી નનામી લઈ જવા મજબૂર
હાલ ચોમાસાની સિઝન છે, જેથી દરેક નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. જેથી જે નદીઓ પર પુલ નથી એ નદી પાસેના ગ્રામજનો સંપર્ક વિહોણા બને છે. પરંતુ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમને સ્મશાને લઈ જવા માટે મૃતકના સગાસબંધીઓને પાણીમાં ઉતરીને નનામી લઈ જવી પડે છે. ત્યારે અણસોલ ગામમાં પુલના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કોઈપણ કામકાજ, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવું હોય તો મેશ્વો નદી વટાવીને જવું પડે છે
પુલના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો
જો કે નદી પર પુલ બનાવવા અંગે ગામના અગ્રણીઓએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છે. પરંતુ તંત્રના બહેરા કાને આ વાત સંભળાતી નથી. ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે મેશ્વો નદી પર પુલ બનાવવામાં આવે. તેમજ જો નહીં બનાવવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

આ સમસ્યા અંગે ગામના અગ્રણીઓએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી
