Monday, August 22, 2022

પાકિસ્તાનમાં શીખ છોકરીનું અપહરણ, બળજબરીથી ઈસ્લામ કબૂલ, ભારતીય વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની અપીલ | Sikh girl kidnapped forcibly converted to islam after physical assault in pakistan

શીખ યુવતીનું પહેલા બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું અને પછી તેના પર બળાત્કાર કર્યા બાદ અપહરણકર્તાએ તેની સાથે લગ્ન કરી લીધા. આ મામલે ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ વિદેશ મંત્રી એસ. જયશંકરને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

પાકિસ્તાનમાં શીખ છોકરીનું અપહરણ, બળજબરીથી ઈસ્લામ કબૂલ, ભારતીય વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની અપીલ

પ્રતિકાત્મક તસ્વીર

Image Credit source: File Photo

બુનેર : પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બુનેર જિલ્લામાંથી એક શીખ યુવતીનું (sikh girl )  બળજબરીથી અપહરણ (kidnapped)કરવામાં આવ્યું છે. 20 ઓગસ્ટની સાંજે તેને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવામાં આવ્યો હતો. ગુરચરણ સિંહની પુત્રી દીના કૌરનું પહેલા બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પર બળાત્કાર કર્યા બાદ અપહરણકર્તાએ સ્થાનિક પ્રશાસન અને પોલીસની મદદથી તેની સાથે લગ્ન કરી લીધા.

વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

ભેદભાવ અને દમનથી પરેશાન, સેંકડો શીખ સમુદાય અને સ્થાનિકોએ ન્યાયની માંગણી સાથે રસ્તાઓ બ્લોક કરી દીધા. એક શીખ પ્રદર્શનકારીએ કહ્યું કે તે પાકિસ્તાનના લોકોને અપીલ કરે છે કે જ્યાં સુધી તેમની પુત્રી પરત નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સ્થાનિક પ્રશાસને બાળકીની શોધમાં એક દિવસ માટે તેમને ગેરમાર્ગે દોર્યા હતા. તેમણે કહ્યું કે બાળકીના અપહરણને લઈને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખૈબર પખ્તુનવામાં ઘણા શીખ પરિવારો રહે છે. આમાંના મોટાભાગના લોકો બિઝનેસ કરે છે. પાકિસ્તાનના લઘુમતી સમુદાયના ઘણા લોકો પોતાની દીકરીઓની સુરક્ષા માટે શરણ લેવા ભારત ગયા છે.

મનજિન્દર સિંહ સિરસા એસ. જયશંકરે દરમિયાનગીરી કરવા કહ્યું

ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ વિદેશ મંત્રી એસ. જયશંકરે વિનંતી કરી હતી. સિરસાએ કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતી શીખ, હિંદુ અને અન્ય સમુદાયોમાંથી અપહરણ, ધર્મ પરિવર્તન અને પછી અપહરણકર્તાઓ સાથે લગ્ન કરવા એ સામાન્ય બાબત બની ગઈ છે. પાકિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિ દયનીય છે. મોટા ભાગના કેસમાં પોલીસ યુવતીઓના પરિવારજનોને ચૂપ રહેવાનું કહે છે અને દીન કૌરના કિસ્સામાં પણ આવું જ બન્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરીને ટ્વિટ કર્યું

સિરસાએ કહ્યું કે તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરીને ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનમાં શીખોની સુરક્ષા અંગેના તેમના અગાઉના ટ્વિટને અવગણવામાં આવ્યા હતા. સિરસાએ વિદેશ મંત્રી એસ જયશંકરને તાત્કાલિક આ મામલો તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે ઉઠાવવા વિનંતી કરી હતી. સિરસાએ કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દીન કૌરને સુરક્ષિત રીતે પરત કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Related Posts: