- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમરેલી
- જાફરાબાદના લુણસપુર ગામ પાસે આવેલી સિન્ટેક્સ કંપની પર દલિત સમુદાયના લોકોની જમીન બળજબરીથી પચાવી પાડવાનો આરોપ છે.
અમરેલી32 મિનિટ પહેલા
- લોકોના ટોળા કંપનીના ગેટ બહાર એકઠા થતા પોલીસ દોડી આવી
- પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો
- ન્યાયની ખાતરી મળતા લોકોએ હાલ પૂરતું આંદોલન સમેટ્યું
અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલ સિન્ટેક્સ કંપની આવેલી છે, અહીં નાગેશ્રી ગામના ખેડૂત અલગ અલગ ત્રણ વ્યક્તિઓ ખાતેદાર છે, આ જમીન ટોચ મર્યાદાની હતી અને કંપની દ્વારા તેમના ઉપર દબાણ કર્યું હોવાનો દલિત સમાજના લોકો દ્વારા આક્ષેપ લગાવ્યો હતો. અરજદારો દ્વારા સ્થાનિક અને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા બાદ હાઇકોર્ટ સુધી મામલો પોહચ્યો હતો અને ત્યારબાદ કલેકટર સમક્ષ હુકમ કર્યો હતો અને આખો વિવાદ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે આજે થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટનામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ડી.વાય.એસ.પી.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

લોકોએ કંપનીના ગેટ પાસે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા
થોડીવાર માટે કંપની પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. આશરે 80 વિઘા ઉપરાંત જમીન આવેલ છે આખો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો. અહીં દલિત સમાજના અગ્રણી વાઘજીભાઈ જોગદીયાની આગેવાની હેઠળ મહિલાઓ સહિત સિન્ટેક્સ કંપની સામે સુત્રોચાર સાથે કંપનીમાં ઘુસી જમીન જાતે ખાલી કરાવવાની માંગ કરી હતી. જોકે પોલીસનો મોટો કાફલો ગેટ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણે લોકોના ટોળા અંદર ઘુસ્યા ન હતા.

પોલીસ દ્વારા મામલો થાળે હાલ પૂરતો થાળે પાડ્યો
મામલો ઉગ્ર બને તે પહેલાં દલિત સમાજના આગેવાન સહિત પોલીસ અધિકારી અને સિન્ટેક્સ કંપનીના અધિકારી વચ્ચે બેઠકમાં દલિત સમાજને ન્યાય આપવા માટેની ખાત્રી આપી છે જમીન અન્ય વિસ્તારમાં આપવા માટેની ખાત્રી ઉપરાંત તેમનું વળતર આપવા માટેની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.
દલિત સમાજ આગેવાન વાઘજીભાઈ જોગદીયાએ જણાવ્યું હાલ ન્યાય માટેની ખાત્રી આપી છે. ડી.વાય.એસપી.એ જવાબદારી લીધી છે અને સંપૂર્ણ બાબતે ઉચ્ચ અધિકારી બેઠક કરવા આવશે ત્યારબાદ જો હજુ જમીન મામલે ન્યાય નહિ મળે તો ફરી આંદોલન કરીશું.