Monday, August 15, 2022

થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ, વૈભવી કારને તિરંગાના રંગે રંગી | Thangarh ceramic factory owner's unique patriotism paints luxury car in tricolor

સુરેન્દ્રનગર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તિરંગાના રંગે રંગાયેલી કાર થાન શહેર સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પુરા થતાં હાલમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યોં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ, વૈભવી કારને તિરંગાના રંગે રંગી હતી. તિરંગાના રંગે રંગાયેલી કાર થાન શહેર સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. અને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દરેક ઘરો અને બિલ્ડીંગો પર તીરંગો લહેરાઇ રહ્યો છે. અને લોકો દેશભક્તિના રંગે રંગાઇને ગામે ગામ ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ, વૈભવી કારને તિરંગાના રંગે રંગી હતી.

વૈભવી કારને તિરંગાના રંગે રંગી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ઇન્ડીયન સિરામિકના માલિક દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ, વૈભવી કારને તિરંગાના રંગે રંગી હતી. તિરંગાના રંગે રંગાયેલી કાર થાન શહેર સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

‘હર કાર પર તિરંગા’નું સ્લોગન
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ‘હર ઘર તિરંગા’ના સ્લોગનની જેમ ‘હર કાર પર તિરંગા’નું સ્લોગન પણ લખવામાં આવ્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 15મી ઓગષ્ટે તિરંગાના રંગે રંગાયેલી કાર થાન શહેર સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.