2 સપ્ટેમ્બર સુધી 1.55 લાખ અપડેટેડ ITR ભરાયા, કોણ કેવી રીતે ભરી શકે છે આ ફોર્મ? | 1.55 lakh updated ITR filed till September 2

જો આઇટીઆર 12 મહિના પછી પરંતુ આકારણી વર્ષના 24 મહિના પહેલા ફાઈલ કરવામાં આવે તો વધારાનો ચાર્જ 50 ટકા હશે. જેમણે 2019-20 અને 2020-21 માટે ITR-U ભરવાનું છે તેમને આ ફોર્મ ભરવાની સુવિધા મળશે.

2 સપ્ટેમ્બર સુધી 1.55 લાખ અપડેટેડ ITR ભરાયા, કોણ કેવી રીતે ભરી શકે છે આ ફોર્મ?

Image Credit source: File Image

મે મહિનાથી 2 સપ્ટેમ્બર સુધીમાં 1.55 લાખ અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો મે મહિનાથી 2 સપ્ટેમ્બર સુધીનો છે. મે મહિનામાં જ સરકારે આ અપડેટેડ ITR ફોર્મ રજૂ કર્યું હતું. જો ટેક્સ રિટર્નમાં કોઈ ભૂલ હોય તો ITR-U એટલે કે અપડેટેડ ITR સુધારીને ફરીથી ફાઈલ કરવામાં આવે છે. આ નવા ફોર્મ આ વર્ષના બજેટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. કરદાતાઓ ચોક્કસ ચાર્જ ચૂકવીને અપડેટેડ ITR ફાઈલ કરી શકે છે. ITR-U ફાઈલ કરવા માટે કરદાતાએ ટેક્સની રકમ પર વધારાના ચાર્જ ચૂકવવા પડે છે. આવકવેરા વિભાગે એક ટ્વિટમાં ITR-U વિશે માહિતી આપી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 2 સપ્ટેમ્બર સુધી 1.55 લાખ અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર એવા 20,000 કરદાતાઓ છે, જેમણે 2020-21 અને 2021-22 બંને આકારણી વર્ષ માટે અપડેટેડ ITR ફાઈલ કર્યું છે. આનો અર્થ એ થયો કે 20,000 કરદાતાઓએ નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે ITR-U ફાઇલ કર્યું છે. ફાઈનાન્સ એક્ટ 2022માં સરકારે નવી જોગવાઈ રજૂ કરી, જે કલમ 139(8A) હેઠળ અપડેટેડ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપે છે.

કોણ ITR-U ફાઈલ કરી શકે છે

જેમણે તેમના ITRમાં કેટલાક સુધારા કરવા પડશે, જો આવક ખોટી રીતે આપવામાં આવી હોય અથવા જો કોઈ આવક ભૂલથી જણાવવામાં આવી હોય તો તેઓ ITR-U ફાઈલ કરી શકે છે. જોગવાઈ મુજબ બાકી ટેક્સ પર 25 ટકા વધારાની ડ્યુટી અને વ્યાજ ચૂકવવું પડશે. જો સંબંધિત આકારણી પૂર્ણ થયાના 12 મહિનાની અંદર આ રિટર્ન ફાઈલ કરવામાં આવે તો અપડેટ કરેલ ITR પર 25 ટકા ફી ચૂકવવાની રહેશે.

જો આઇટીઆર 12 મહિના પછી પરંતુ આકારણી વર્ષના 24 મહિના પહેલા ફાઈલ કરવામાં આવે તો વધારાનો ચાર્જ 50 ટકા હશે. જેમણે 2019-20 અને 2020-21 માટે ITR-U ભરવાનું છે તેમને આ ફોર્મ ભરવાની સુવિધા મળશે. આ ફોર્મમાં કરદાતાએ સ્પષ્ટપણે સમજાવવું પડશે કે શા માટે ફરીથી ITR ફાઈલ કરવાની જરૂર પડી અને કેટલી આવક કર જવાબદારીના દાયરામાં આવે છે.

કેટલું રિફંડ આપવામાં આવ્યું

વર્તમાન નાણાકીય વર્ષ (2022-23)ના પ્રથમ પાંચ મહિનામાં ટેક્સ વિભાગ દ્વારા રૂ. 1.14 લાખ કરોડથી વધુના ટેક્સ રિફંડ જાહેર કરવામાં આવ્યા છે. IT વિભાગે શનિવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2022 થી 31 ઓગસ્ટ, 2022 વચ્ચે 1.97 કરોડ કરદાતાઓને રૂ. 1.14 લાખ કરોડથી વધુનું રિફંડ જાહેર કર્યું છે. આ રિફંડમાં પર્સનલ ટેક્સ સેક્શન હેઠળ રૂ. 61,252 કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે રૂ. 53,158 કરોડ કોર્પોરેટ ટેક્સના રિફંડ છે.

Previous Post Next Post