[og_img]
- નવરાત્રીને લઈને SVPIA પણ શણગારાયું
- કલાત્મક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે પ્રવાસીઓ
- એરપોર્ટ પર કલાત્મક દાંડિયા પણ મળી રહેશે
દરવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે નવરાત્રીને લઈને જોરદાર સુશોભન કરવામાં આવ્યું છે. આવતા જતા પ્રવાસીઓ નવરાત્રીના માહોલનો અનુભવ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
એરપોર્ટથી પ્રવાસ કરતી વખતે ચેક ઇન એરિયામાં લગાડેલા મોટા ડેકોરેશન નવરાત્રિની ઝાંખી કરાવે છે. સાથો સાથ પેસેન્જર ફ્લાઇટ બોર્ડ કરવાની રાહ જોતા સમયે કલાત્મક પ્રવૃત્તિઓનો આનંદ પણ માણી શકે છે.
સ્પેશિયલ પ્રવૃત્તિઓ માટે ઊભો કરાયેલો એરિયામાં પેસેન્જર દાંડિયાને કલર કરી સુશોભન કરી સાથે લઈ જઈ શકે છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર પ્રવૃત્તિ એરિયામાં હાજર કલાકારોની મદદથી વિવિધ કલાત્મક પ્રવૃત્તિ મારફતે એરપોર્ટ થી પ્રવાસ કરતી વખતનો સમય આજીવન યાદગાર બનાવી શકે છે.