ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે પદ્મનાભ વાડી ખાતેના ગણપતિ મંદિરે યુવા શક્તિ સંગઠન દ્વારા ધાર્મિક પ્રસંગો ઉજવાયા | On the auspicious occasion of Ganesh Chaturthi, religious events were celebrated by the Yuva Shakti Sangathan at the Ganapati Temple at Padmanabh Wadi.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Auspicious Occasion Of Ganesh Chaturthi, Religious Events Were Celebrated By The Yuva Shakti Sangathan At The Ganapati Temple At Padmanabh Wadi.

પાટણ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભગવાન ગણેશજીની મહા આરતી સાથે આયોજિત ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા

ધર્મની નગરી પાટણ શહેરમાં દરેક ધાર્મિક તહેવારોની અને ઉત્સવોની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે પાટણ શહેરના શ્રી પદ્મનાભ મંદિર વાડી ખાતેના ગણેશ મંદિર પરિસરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે યુવા શક્તિ સંગઠન દ્વારા શ્રી ગણપતિ દાદા ની મહા આરતી તથા ભજન સંધ્યા નો ભક્તિ સભર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ભગવાન શ્રી પદ્મનાભ નાં સાનિધ્યમાં શ્રી ગણપતિ ઉત્સવ નિમિત્તે આયોજિત મહા આરતી અને ભજન સંધ્યા નાં ધાર્મિક પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજના ગણેશ ભક્તો સહિતના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી માં આવેલા શ્રી ગણપતિ દાદા નાં મંદિર પરિસર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા યુવા શક્તિ સંગઠન નાં સેવાભાવી કાયૅકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવા માં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم