જામનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે 7 લોકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત | Hit and run incident in jamnagar, 1 died on the spot

કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ હિટ અન્ડ રનની ઘટના બની હતી. હાલ પોલીસે (Jamnagar Police) સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે 7 લોકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત

hit and run incident in jamnagar

જામનગરમાં (Jamnagar) હિટ એન્ડ રનની ( Hit And Run) ઘટના સામે આવી છે. આશીર્વાદ રિસોર્ટ નજીક પૂર પાટ ઝડપે આવતી કારે 7 લોકોને અડફેટે લીધા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યુ છે. જ્યારે ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital)  ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ હિટ અન્ડ રનની ઘટના બની હતી. હાલ પોલીસે (Jamnagar Police) સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટનાએ વધુ એકનો જીવ લીધો

આ અગાઉ સુરતના (Surat)ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસકે નગર ચોકડી પાસે હિટ એન્ડ રનનો  બનાવ બન્યો હતો. જેમાં ટ્રક ચાલકે બાઈક પર સવાર ભાઈ- બહેનને ટક્કર કચડી (Accident) ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે બહેનની સામે જ ભાઈનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતને પગલે ડુમસ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous Post Next Post