હાર્દિક પંડ્યા બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટને આરામ

ચેતન શર્માએ સોમવારે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટને આરામ

હાર્દિક પંડ્યા

TV9 ગુજરાતી

| સંપાદિત: કુંજન શુકલ

ઑક્ટો 31, 2022 | 7:24 PM

T20 વર્લ્ડ કપની વચ્ચે ટીમ ઈન્ડિયાએ ચાર સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વનડે અને ટી20 સીરીઝ રમવા જઈ રહી છે. તે જ સમયે, બાંગ્લાદેશ સામે વનડે અને ટેસ્ટ શ્રેણી હશે જેના માટે ટીમ ઇન્ડિયાએ તેની ટીમની જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે, તે ટી-20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. ચેતન શર્માએ સોમવારે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.

Previous Post Next Post