શિખર ધવન (Shikhar Dhawan) T20 અને ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો છે, હવે તેની ODI કરિયર પણ ખતરામાં છે. મોટો સવાલ એ છે કે શું તે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) રમી શકશે?
Shikhar Dhawan નુ સપનુ છે કે, તે વિશ્વકપનો હિસ્સો હોય
શિખર ધવન (Shikhar Dhawan) એક શાનદાર ખેલાડી છે. તેના ખાતામાં 10,000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. તેણે 24 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તેમના ખાતામાં એક દાયકાથી વધુનો અનુભવ છે. સ્વાભાવિક રીતે આક્રમક બેટ્સમેન તરીકે તેણે ઘણી ‘મેચ વિનિંગ’ ઇનિંગ્સ રમી છે. તે ઘણી મોટી શ્રેણી જીતમાં ટીમનો ભાગ રહ્યો છે. પરંતુ શિખર ધવનના ખાતામાં વર્લ્ડ કપ (World Cup) નથી. 2007માં જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) એ T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેની T20 કારકિર્દીની શરૂઆત પણ થઈ ન હતી.
2011માં જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ટીમનો ભાગ નહોતો. અમુક હદ સુધી, તેણે 2013 માં આની ભરપાઈ કરી, જ્યારે ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. તે ટૂર્નામેન્ટમાં શિખર ધવન શાનદાર ફોર્મમાં હતો. તેણે 363 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ વર્લ્ડ કપની વાત કંઈક અલગ છે. દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન વનડે શ્રેણીની શરૂઆત પહેલા શિખર ધવને ખુલીને કહ્યું હતું કે તે આવતા વર્ષે યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપમાં રમવા માંગે છે.