શિયાળામાં કોરોનાની ફરી થઈ શકે છે વાપસી, આ લક્ષણો પર રાખો ધ્યાન

Coronavirus Symptoms : દેશમાં કોરોના મહામારીને કારણે લોકોને જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થવુ પડ્યુ. રસીકરણ કાર્યક્રમ અને નિયમોના પાલન કરવાને કારણે આપણે કોરોના મહામારીમાંથી બહાર આવી શક્યા પણ શિયાળાની ઋતુમાં આ કોરોના ફરી હેરાન કરી શકે છે.

ઑક્ટો 14, 2022 | 10:58 PM

TV9 ગુજરાતી

| સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા

ઑક્ટો 14, 2022 | 10:58 PM

શિયાળામાં કોરોના મહામારી ફરી રી-એન્ટ્રી મારી શકે છે. એક્સપર્ટ અનુસાર, શિયાળાની ઋતુમાં જોવા મળતા આ લક્ષણોને નજરઅંદાજ ન કરવુ જોઈએ. સાવધાની રાખવાથી કોરોનાથી બચી શકાશે.

શિયાળામાં કોરોના મહામારી ફરી રી-એન્ટ્રી મારી શકે છે. એક્સપર્ટ અનુસાર, શિયાળાની ઋતુમાં જોવા મળતા આ લક્ષણોને નજરઅંદાજ ન કરવુ જોઈએ. સાવધાની રાખવાથી કોરોનાથી બચી શકાશે.

ગળામાં ખરાશ - જો  તમારા ગળામાં ખરાશ હોય તો તેની તરત સારવાર કરાવો. તે કોરોના શરુઆતના લક્ષણ હોય શકે છે.

ગળામાં ખરાશ – જો તમારા ગળામાં ખરાશ હોય તો તેની તરત સારવાર કરાવો. તે કોરોના શરુઆતના લક્ષણ હોય શકે છે.

શરદી- ખાંસી - શિયાળામાં ખાંસી અને શરદી એક સામાન્ય સમસ્યા છે. તે પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેને દૂર કરાવા ઘરઘથ્થુ ઉપાયો અને દવાનું સેવન જરુરથી કરવુ જોઈએ.

શરદી- ખાંસી – શિયાળામાં ખાંસી અને શરદી એક સામાન્ય સમસ્યા છે. તે પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેને દૂર કરાવા ઘરઘથ્થુ ઉપાયો અને દવાનું સેવન જરુરથી કરવુ જોઈએ.

લાલ આંખ - શિયાળામાં આંખમાં બળતરા અને ખજવાળ આવે તો તેની તરત સારવાર કરાવવી જોઈએ. આંખો લાલ થવી પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેથી તેની યોગ્ય સંભાળ કરવી જોઈએ.

લાલ આંખ – શિયાળામાં આંખમાં બળતરા અને ખજવાળ આવે તો તેની તરત સારવાર કરાવવી જોઈએ. આંખો લાલ થવી પણ કોરોનાનું એક લક્ષણ હોય શકે છે. તેથી તેની યોગ્ય સંભાળ કરવી જોઈએ.

થાક - થાક પણ કોરોનાનું એક લક્ષણ છે. કામને કારણે તણાવ, શરીરમાં પોષક તત્ત્વોની અછતને કારણે થાક લાગે છે. તેથી શરીરમાં પોષક તત્ત્વો મળે તેવા ફળ-શાકભાજીનું સેવન કરવુ જોઈએ.

થાક – થાક પણ કોરોનાનું એક લક્ષણ છે. કામને કારણે તણાવ, શરીરમાં પોષક તત્ત્વોની અછતને કારણે થાક લાગે છે. તેથી શરીરમાં પોષક તત્ત્વો મળે તેવા ફળ-શાકભાજીનું સેવન કરવુ જોઈએ.


સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Previous Post Next Post