الثلاثاء، 11 أكتوبر 2022

IIM-અમદાવાદમાં Phd કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા સામે સ્ટેની માગ સાથે અરજી

[og_img]

  • હાઈકોર્ટ IIM-અમદાવાદને નોટિસ પાઠવી
  • IIM-એ દ્વારા Phd કોર્સમાં અનામતનો અમલ કરાયો નથી
  • ભૂતકાળમાં આ મુદ્દે જાહેરહિતની અરજી કરાયેલી છે

અમદાવાદ IIMમાં Phdના કોર્સમાં વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશની પ્રક્રિયા સપ્ટેમ્બર-2022માં શરૂ થઈ છે. જેમાં, એસસી, એસટી અને ઓબીસીને અનામતનો લાભ આપવામાં આવ્યો નથી, તેથી આ પ્રવેશ પ્રક્રિયા પર સ્ટે આપવાની માગ સાથે અરજી અરજી થયેલી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે IIM-અમદાવાદને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 15 નવમ્બરે હાથ ધરાશે.

અરજદારના વકીલની રજૂઆત

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, IIM-અમદાવાદમાં Phd કોર્સમાં એસસી, એસટી અને ઓબીસીને અનામતનો લાભ આપવાની માગ સાથે નવેમ્બર-2021માં અરજી થયેલી છે. જેમાં, હાઈકોર્ટે IIMને નોટિસ પાઠવેલી છે. હવે, શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની પ્રવેશ પ્રક્રિયા સપ્ટેમ્બર-2022માં શરૂ થઈ છે અને જાન્યુઆરી-2023માં તે પૂર્ણ થશે. દેશભરમાં 20 IIM છે, જેમાં 12 થી 15 IIMમાં Phd કોર્સમાં એસસી,એસટી અને ઓબીસીને અનામત આપવાનો અમલ થયો છે. જો કે, IIM-અમદાવાદમાં હજુ સુધી તેનો અમલ થયો નથી. IIM અમદાવાદ એ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન છે અને સેન્ટ્રલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન ( રિઝર્વેશન ઈન એડમિશન) એક્ટ-2006 હેઠળ IIM-અમદાવાદે Phd કોર્સમાં અનામત આપવુ જોઈએ. જો કે, તેનો અમલ કરાતો નથી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.