Jamnagar: સૂર્યગ્રહણને નિહાળવા આધુનિક ટેલિસ્કોપ અને અન્ય ઉપકરણોની વિશેષ વ્યવસ્થા

જામનગર (Jamnagar) શહેરના પ્રદર્શન મેદાનમાં લોકો સૂર્યગ્રહણને (solar eclipse) નિહાળી શકે તે માટે આધુનિક ટેલિસ્કોપ અને અન્ય ઉપકરણોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Jamnagar: સૂર્યગ્રહણને નિહાળવા આધુનિક ટેલિસ્કોપ અને અન્ય ઉપકરણોની વિશેષ વ્યવસ્થા

જામનગરમાં સૂર્યગ્રહણ નિહાળવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ

ભારતના મોટાભાગના વિસ્તારમાં 2022નું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ (સૂર્ય ગ્રહણ) આજે જોવા મળશે. જામનગરમાં (જામનગર) સૂર્યગ્રહણને નિહાળવા માટે ખગોળ મંડળ સંસ્થા દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં લોકો સૂર્યગ્રહણને નિહાળી શકે તે માટે આધુનિક ટેલિસ્કોપ અને અન્ય ઉપકરણોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરની ખગોળ મંડળ સંસ્થાએ અંધશ્રદ્ધામાંથી બહાર આવી સૂર્ય ગ્રહણને સાક્ષાત નીહાળી આ ખગોળીય ઘટનાના સાક્ષી બનવા શહેર જિલ્લાના સર્વે નાગરિકોને અનુરોધ કર્યો છે.

સૂર્ય ગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ

જામનગર શહેરની ખગોળ પ્રેમી જનતા કે જેઓ સૂર્યગ્રહણને અધ્યાધુનિક ટેલિસ્કોપ તેમજ સૂર્યગ્રહણના ચશ્મા, પિન હોલ કેમેરા, વેલ્ડીંગ માટે વપરાય તેવા હાઈ ક્વોલિટીના ગ્લાસ સહિતના અત્યાધુનિક ઉપકરણો સાથે સૂર્યગ્રહણને નિહાળે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂર્વ રાજવી દ્વારા તૈયાર કરાયેલી સમાધિના સ્થળના નજીકના ભાગમાં ખગોળ મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને 25મી ઓક્ટોબરના સાંજે સાડા ચાર વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૌ કોઈ નગરજનો અથવા ખગોળ પ્રેમીઓ સૂર્યગ્રહણ નિદર્શનના કાર્યક્રમનો લાભ લઈ શકે છે, અને સૂર્યગ્રહણની ઘટનાના સાક્ષી બની શકે છે.

ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ જામનગરના નભોમંડળમાં સાંજે 4.37 કલાકે શરુ થશે. 5.36 કલાકે સૂર્ય વધુમાં વધુ ગ્રસ્ત થયેલો જોવા મળશે, આ સમયે સૂર્ય 44 ટકા જેટલો કાળો થઈ જશે. ત્યારબાદ 6.17 કલાકે સૂર્ય અસ્ત પામશે અને 6.31 કલાકે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં આકાશમાં ડૂબી ગયો હશે. સૂર્ય ગ્રહણ વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જવાથી સૂર્યમાંથી આવતો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાય છે અને આપણે સૂર્ય ગ્રહણ જોઈ શકીએ છીએ. દરેક અમાસ સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર હોય છે, પરંતુ ત્રણેય એક સમતલમાં ન હોવાથી દરેક અમાસે સૂર્ય ગ્રહણ નથી થતું.

સૂર્ય ગ્રહણ જોવાની સલામત રીત

આપણે સૌ જાણીએ છીયે કે સૂર્ય અતિ પ્રકાશિત પીંડ છે. તેની સામે જોવાથી સૂર્ય પ્રકાશની ગરમી અને તેની સાથે રહેલા પાર જાંબલી અને અધોરકત કિરણો આંખને અંધાપાની હદ સુધી નુકસાન કરી શકે છે. આ માટે યોગ્ય સુરક્ષિત ફિલ્ટર જે સૂર્ય પ્રકાશને એક લાખ ગણો ઓછો કરી સાથે પારજાંબલી અને અધોરકત કિરણોને શોષી લે તેવા ચશ્માનો ઉપયોગ કરી શકાય. સુરક્ષિત ફિલ્ટર તરીકે વેલ્ડિંગમાં વપરાતો 14 અથવા 16 નંબરનો ગ્લાસ વાપરી શકાય. તડકામાં સામાન્ય રીતે પહેરવામાં આવતા ગોગલ્સ અથવા પોલરોઇડ ચશ્મા અસુરક્ષિત છે. મેશ લગાડેલા કાચ અથવા એકસપોઝ થયેલી એક્સરે ફિલ્મ પણ આંખને નુકસાન પહોંચાડી શકે છે. પીનહોલ કેમેરાથી ગ્રહણ વખતે સૂર્યનું પ્રતિબિંબ મેળવી સલામત રીતે જોઈ શકાય. સાદા અરિસા ઉપર ગોળ કાણાંવાળો જાડો કાગળ ચિપકાવી સૂર્યનું પ્રતિબિંબ અંધારા ઓરડામાં ઝીલી સુરક્ષિત રીતે ગ્રહણ જોઈ શકાય.

أحدث أقدم