MOPAએ કેન્દ્ર સરકાર પાસેથી ખાદ્ય તેલ અને તેલીબિયાં પરની સ્ટોક લિમિટ દૂર કરવાની કરી માગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદ્ય તેલના બજારને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોને વધુ તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરવા વિનંતી કરી રહ્યા છે. તેમની અપીલ પર દેશના ખેડૂતોએ અન્ય તેલીબિયાં પાકોનું પણ મોટાપાયે ઉત્પાદન કર્યું, જેના કારણે ભારતની ખાદ્યતેલોની આયાત 150 લાખ ટનથી ઘટીને 135 લાખ ટન થઈ ગઈ.

MOPAએ કેન્દ્ર સરકાર પાસેથી ખાદ્ય તેલ અને તેલીબિયાં પરની સ્ટોક લિમિટ દૂર કરવાની કરી માગ

Symbolic Image

Image Credit source: File Photo

મસ્ટર્ડ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MOPA)નું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યું છે અને તેમને ખાદ્ય તેલ અને તેલીબિયાં પર હાલમાં લાગુ સ્ટોક મર્યાદા દૂર કરવા અને વાયદા બજારને ફરીથી શરૂ કરવા વિનંતી કરી છે. પ્રતિનિધિમંડળમાં સુરેશ નાગપાલ અને હેમંત ગોયલ સાથે MoPAના સંયુક્ત સચિવ અનિલ ચતરનો સમાવેશ થાય છે. ચતરે કહ્યું કે ખાદ્ય તેલ (Edible Oil)ની કિંમત 4 મહિનામાં 40થી 45 ટકા ઘટીને કોરોના મહામારીના પ્રથમ સ્તર પર આવી ગઈ છે. પરિણામે, ખાદ્યતેલ હવે ગ્રાહકોને સસ્તા ભાવે ઉપલબ્ધ છે. તેથી સ્ટોક લિમિટ દૂર કરવી જોઈએ.

ત્રણેયએ મંત્રીનું ધ્યાન દોર્યું કે છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદ્ય તેલના બજારને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોને વધુ તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરવા વિનંતી કરી રહ્યા છે. તેમની અપીલ પર દેશના ખેડૂતોએ અન્ય તેલીબિયાં પાકોનું પણ મોટાપાયે ઉત્પાદન કર્યું, જેના કારણે ભારતની ખાદ્યતેલોની આયાત 150 લાખ ટનથી ઘટીને 135 લાખ ટન થઈ ગઈ. આ સાથે આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધીએ છીએ.

સ્ટોક લિમિટને કારણે નુકસાન

મોપાના જોઈન્ટ સેક્રેટરી અનિલ ચતરે મંત્રીને જણાવ્યું હતું કે ખાદ્ય તેલના ભાવમાં હવે નોંધપાત્ર ઘટાડો થયો છે. પરિણામે, ખાદ્યતેલ હવે ગ્રાહકોને સસ્તા ભાવે ઉપલબ્ધ છે. પરંતુ જો ખેડૂતોને તેલીબિયાંના યોગ્ય ભાવ ન મળે તો ક્યાંક ફરીથી આયાતની નોબત ન આવી જાય. તેલીબિયાં ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના આપણા વડાપ્રધાનના અભિયાનને આનાથી ફટકો પડશે. આજે તેલીબિયાં પર સ્ટોક લિમિટના કારણે ઉદ્યોગ અને વેપાર જગત ડરી ગયું છે. ઘણા ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે.

વાયદા બજાર માટે મોપાની દલીલ

તેથી એ જરૂરી કે ભારતીય વાયદાના વેપારમાં ખાદ્યતેલ, તેલીબિયાં પ્રતિબંધિત ન કરવામાં આવે. આ કારણે વિદેશી બજારોમાં તેજી જોવા મળશે, જેના કારણે આપણા ભારતીય બજારને અસર થશે. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉનને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી. કેન્દ્ર સરકારે પણ આ અંગે સતત પ્રયાસો કર્યા હતા, પરંતુ ધાર્યા પ્રમાણે પરિણામો મળ્યા નથી. તેમણે કહ્યું કે વાયદા બજાર એ ખાદ્યતેલોને સ્થિર કરવા માટેનું એક હથિયાર છે અને સટ્ટાખોરીને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ખેડૂતોને થઈ છે અસર

ચતરે જણાવ્યું હતું કે વિશ્વભરમાં તમામ કૃષિ કોમોડિટીઝમાં ફ્યુચર્સ ટ્રેડિંગ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ચાલુ રહે છે. તેના પર કોઈ પ્રતિબંધ નથી કારણ કે વિશ્વમાં ખેડૂત અને ગ્રાહક વચ્ચેના ભાવનો આધાર યોગ્ય રીતે સમન્વયિત છે. તેમણે કહ્યું કે વાયદા બજાર પર પ્રતિબંધને કારણે ખેડૂતો અને ગ્રાહકો પર તેની પ્રતિકૂળ અસર થઈ છે. તે મૂંઝવણમાં રહે છે કે તેનો માલ કયા ભાવે વેચવામાં આવશે અને ગ્રાહકોને ખબર નથી કે તેણે કયા ભાવે માલ ખરીદવો પડશે. એટલું જ નહીં, વાયદા બજાર પર પ્રતિબંધના કારણે ભારત સરકારની આવકમાં પણ મોટો ઘટાડો જોવા મળે છે.

ઘટી શકે છે તેલીબિયાંનું ઉત્પાદન

જો સમયસર આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે અને તેનો સીધો ફાયદો વિદેશી બજારોને મળશે. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે સોયાબીન તેલ, સોયાબીન બીજ, ચણા, ગુવાર, ગુવાર ગમ, એરંડા વગેરે જેવી કૃષિ કોમોડિટીઝના વાયદાના વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સરકારે તેને યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરી તેના સાનુકૂળ પરિણામો આવ્યા.

ખાદ્યતેલોનું વાયદા બજાર શરૂ કરવાની માગ

MoPA સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે તેલ અને તેલીબિયાં માટે સ્ટોક મર્યાદા ફેબ્રુઆરી 2022માં થોડા મહિનાઓ માટે લાદવામાં આવી હતી અને પછીથી તેને ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી હતી. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે ખેડૂતો, ગ્રાહકો અને ઉદ્યોગોના હિતમાં સરકારે તેની સ્ટોક લિમિટ તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ. તેલ, તેલીબિયાં એટલે કે સરસવ, સોયાબીન, સોયા તેલ અને ક્રૂડ પામ ઓઈલનું વાયદા બજાર શરૂ કરવું જોઈએ. તેનાથી ખેડૂતો અને ગ્રાહકો સહિત ઉદ્યોગોને રાહત મળશે અને સરકારની આવકમાં વધારો થશે.

أحدث أقدم