અમદાવાદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલી કામધેનું માર્કેટના ભોયરામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. જેના પગલે ફાયરબ્રિગેડની 22થી વધુ ગાડીઓ રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
આગ લાગવાની ઘટનાના પગલે માર્કેટમાં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ હાલ ત્યાં પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આગમાં કોઈને જાનહાની થઈ હોવાના હજી સુધી જાણકારી મળી નથી.
આગની ઘટનામાં અમે વધુ વિગતો ઉમેરી રહ્યા છીએ
અન્ય સમાચારો પણ છે…