- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- On November 23 There Is An Auspicious Yoga Of Incense meditation To The Ancestors, On Amas Tithi There Is A Tradition Of Tirtha Darshan And Bathing In The River.
નવસારી21 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ધૂપ આપતી સમયે પિતૃઓનું ધ્યાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન દાન કરો
23 નવેમ્બરે કારતક મહિનાની અમાસ છે. આ દિવસે કારતક મહિનો પૂર્ણ થશે અને 24 તારીખથી માગશર શરૂ થશે. કારતક મહિનાની અમાસને પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ, ધૂપ-ધ્યાન અને તીર્થ દર્શન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બુધવારે અમાસ હોવાથી આ દિવસે ગણેશ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. સાથે જ, આ દિવસે બુધ ગ્રહ માટે પણ પૂજા કરવી જોઈએ.
પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા
અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને તીર્થ દર્શન કરવાની પરંપરા છે. જો આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી સમયે બધી જ નદીઓના તીર્થનું ધ્યાન કરવું જોઈએ.
અમાસના દિવસે આ શુભ કામ કરો
અમાસના દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્રજાપ રૂદ્રાક્ષની માળાની મદદથી કરો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો. બુધવારે ગણેશજીનો અભિષેક કરો. દૂર્વા ચઢાવો. લાડવાનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો.
પિતૃઓ માટે બપોરે 12 કલાકે ધૂપ-ધ્યાન કરો
અમાસના દિવસે બપોરે લગભગ 12 કલાકે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. તેના માટે ગોબરના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો બંધ થાય ત્યારે છાણા ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ આપો. ધૂપ આપતી સમયે પિતૃઓનું ધ્યાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન દાન કરો. પિતૃઓ માટે ધન, અનાજ અને ગરમ કપડાનું દાન પણ કરો.