Friday, November 25, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» એકવાર ખેતી શરૂ કરો અને 30 વર્ષ સુધી કમાતા રહો નફો, જાણો આ પાકની ખાસિયત
નવેમ્બર 25, 2022 | 1:01 p.m
TV9 ગુજરાતી | સંપાદન: પંકજ તંબોલીયા
નવેમ્બર 25, 2022 | 1:01 p.m
ખેડૂતોમાં એવી માન્યતા છે કે તેઓ ડાંગર, ઘઉં અને ચણા જેવા પરંપરાગત પાકની ખેતી કરીને જ સારી કમાણી કરી શકે છે. પરંતુ એવું નથી. તેઓ ઇચ્છે તો અખરોટની ખેતી કરીને પણ લાખોમાં કમાણી કરી શકે છે. ડાંગર, ઘઉં અને ચણા કરતાં અખરોટ મોંઘા વેચાય છે. આ સાથે બજારમાં તેની સારી માગ પણ છે.
કૃષિ તજજ્ઞોના મતે અખરોટની ખેતી ગરમ અને ઠંડા બંને વાતાવરણમાં કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેની ખેતી માટે 20 થી 25 ડિગ્રી વચ્ચેનું તાપમાન સારું માનવામાં આવે છે. આવા તાપમાનના સ્થળે અખરોટની ખેતી કરવાથી બમ્પર ઉપજ મળે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તમે જે ખેતરમાં અખરોટનું વાવેતર કરી રહ્યા છો, ત્યાં સારી ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ.
જણાવી દઈએ કે નર્સરીમાં અખરોટના છોડ પણ તૈયાર કરવામાં આવે છે. નર્સરીમાં તેના રોપા તૈયાર કરવા માટે કલમ બનાવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જુલાઇ અને ઓગસ્ટ મહિના નર્સરીની તૈયારી માટે વધુ સારા ગણાય છે. બીજ રોપ્યા પછી તેના છોડ બે થી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. જો તમે ઇચ્છો તો, તમે આ છોડને ડિસેમ્બર મહિના સુધી પહેલેથી જ તૈયાર કરેલા ખેતરમાં વાવી શકો છો.
અખરોટની ખેતી માટે લોમી જમીન સારી માનવામાં આવે છે. જો જમીન ભૂરભૂરી હોય તો તે વધુ સારું છે. આ પ્રકારની જમીનમાં અખરોટનો પાક સારો ઉપજ આપે છે. અખરોટની ખેતી માટે સમયસર સિંચાઈ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અખરોટના છોડને ઉનાળામાં દર અઠવાડિયે અને શિયાળામાં 20-30 દિવસે પાણી આપવું પડે છે. તેના છોડને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં 7-8 મહિનાનો સમય લાગે છે. તે 4 વર્ષ પછી જ ફળ આપવાનું શરૂ કરે છે. આ પછી તે લગભગ 25-30 વર્ષ સુધી ઉત્પાદન કરતું રહેશે.
હાલ બજારમાં અખરોટનો ભાવ લગભગ રૂ.700 થી 800 પ્રતિ કિલો છે. આ મુજબ ખેડૂતો માત્ર એક છોડમાંથી 2800 રૂપિયાની આવક મેળવી શકે છે. જો તમે 100 છોડ વાવ્યા છે તો તમારી આવક લાખોમાં થશે.