અરવલ્લી (મોડાસા)26 મિનિટ પહેલા
સરકારના પુરવઠા વિભાગ દ્વારા ગરીબોને ખાવા માટે સસ્તા ભાવે અને મફતમાં ઘઉં, ચોખા, કઠોળ આપવામાં આવે છે. ત્યારે કેટલાક કાળા બજારીયા વેપારીઓ દ્વારા ગરીબોનું અન્ન ચાઉ કરી જવાની આદત પડેલી હોય છે, જેના કારણે ગરીબોનો કોળિયો છીનવાઈ જતો હોય છે. આવી જ એક ઘટના મોડાસા ખાતે બનવા પામી છે.

અનાજના 380 કટા ભરેલો ટ્રક ઝડપાયો
મોડાસાના હજીરા વિસ્તારમાં એક ટ્રકમાં અનાજ ભરેલું કેટલાક ઈસમોના નજરે પડ્યું હતું. શંકા જતા ટ્રક ડ્રાયવરને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ ચોખાની બોરીઓ માલપુરથી ભરી હતી. સાથે વજનકાંટાની રસીદ અને બીલની પણ શંકા ઉપજાવે એવી જણાતા જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી. જેથી જિલ્લા પુરવઠા વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક અને ટ્રકમાં રહેલ ગરીબોના 380 ચોખાના કટા સિઝ કર્યા હતા. આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
