Saturday, November 26, 2022

દહીંસરાના ગોડાઉનમાંથી 450 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત | 450 kg of inedible jaggery seized from Dahinsara godown

ભુજ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દેશી દારૂ બનાવવા માટે અખાદ્ય ગોળનો ઉપયોગ કરવામાં આવે છે

દેશી દારૂ બનાવવા માટે ધંધાર્થીઓ દ્વારા અખાદ્ય ગોળનો વપરાશ કરવામાં આવતો હોય છે તાજેતરમાં જ અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પોલીસે સયુંકત કાર્યવાહી કરીને 30 હજાર કિલો ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દહીંસરા ગામે એલસીબીએ કાર્યવાહી કરીને 450 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો.

દહીસરા ગામે આવેલા મનીષ મણીલાલ ઠક્કરના કબ્જા-ભોગવટાના ભાડાના ગોડાઉનમાં અખાધ્ય (સડેલો) ગોળનો જથ્થો છે અને આ ગોળ અન્ય ઇસમોને વેચાણ કરતા હોવાની હકીકતના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો ત્યારે અહીંથી 13,500 ની કિંમતનો 450 કિલો ગોળ મળી આવ્યો હતો.

જે અખાધ્ય હોઈ તેનું એફ.એસ.એલ.અધિકારીને સાથે રાખી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,ગોળના નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે,જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…