Friday, November 25, 2022

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, કોંગ્રેસ-આપના ઉમેદવારો મતદારોને આકર્ષવા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે | BJP spokesperson Sudhanshu Trivedi, Congress-AAP candidates are campaigning hard to attract voters

વડોદરા17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુધાંશુ ત્રિવેદી દ્વારા મીડિયાને સંબોધન - Divya Bhaskar

સુધાંશુ ત્રિવેદી દ્વારા મીડિયાને સંબોધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે દરેક રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર આરંભી દેવામાં આવ્યો છે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ ગઈ છે. ત્યારે હવે ભાજપ દ્વારા પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આજે તેઓ મીડિયાને સંબોધન કરશે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સાયલન્ટ રીતે ડોર ટુ ડોર કેમ્પેઈનની સાથે સાથે સભાઓ યોજવામાં આવી રહી છે.

શાહ આવતીકાલે આવશે
26 નવેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડોદરામાં પ્રચાર માટે મેદાને ઉતરી રહ્યા છે. અમિત શાહ શહેરમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે, પરંતુ વિશેષ રીતે સયાજીગંજ બેઠકના ઉમેદવાર કેયુર રોકડિયાનો પ્રચાર કરવા તેઓ આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે. 26મીએ સાંજે ગૃહ પ્રધાન અમિત શાહ મહેસાણા નગર મેદાન ખાતે સભાને સંબોધન કરશે. જેને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ વિધાનસભાની ચુંટણીને લઈ તમામ પક્ષો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે પોતાના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છે.

વીડિયો વાઈરલ થયો
એનસીપીમાંથી કોંગ્રેસમાં આવેલા માંજલપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર ડો. તશ્વિન સિંઘે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોડ શો માટે આણંદથી છાણી સુધી આવવાની પરવાનગી છે. ત્યાંથી આગળ આવવાની પરવાનગી નથી તેવા સરકાર પર આક્ષેપ કર્યા છે. જો કે સ્પેશીયલ બ્રાન્ચે જણાવ્યુ હતું કે રાહુલ અને પ્રિયંકા ગાંધી અંગે આવી કોઇ અરજી મળી નથી.એનસીપીમાંથી કોંગ્રેસમાં આવેલા ડો. તશ્વિન સિંઘને કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.તેઓના વાયરલ થયેલા એક વીડિયોમાં સરકાર દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોડ શો માટે પરવાનગી નહીં આપવામાં આવી રહી હોવાના આક્ષેપ લગાવ્યા છે. ઓએનજીસી રોડ પર આવેલા લકી એપાર્ટમેન્ટમાં કાર્યકરોને સંબોધતા હોવાનો એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કેમ નથી બોલાવતા તેમ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે રોડ શો કરવાનો હતો તે માટે આણંદથી છાણી સુધી આવવાની પરવાનગી આપી રહ્યા છે ત્યાંથી આગળ આવવાની પરવાનગી નથી આપી રહ્યા. આટલી તાનશાહી થઈ ગઈ છે.

વાહનચેકિંગમાં કંઈ ન મળ્યું
વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગરબડ કે ગેરરિતી ના થાય તેના માટે શહેર પોલીસ દ્વારા 15 ફલાઇંગ સ્કવોડ અને 45 સ્ટેટેટીકલ સર્વેલન્સ ટીમ બનાવામાં આવી છે. આ 60 ટીમો ચૂંટણી પ્રચારની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા 21 દિવસમાં ટીમો દ્વારા 15000 વાહનોની ચકાસણી કરવામાં આવી છે પરંતુ તેમાંથી કોઈ વાંધાજનક ચીજ-વસ્તુ મળી નથી.ટીમે કામગીરીનો રિપોર્ટ ચૂંટણી અધિકારીને કરવાનો હોય છે.શહેરના ટોચના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘બંને ટીમો મળીને કુલ 150 લોકો કામ કરી રહ્યા છે. દરેક ટીમ સાથે સીઆરપીએફનો સ્ટાફ પણ હોય છે.ફલાઇંગ સ્કવોડમાં એક એકઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ, પાંચ પોલીસ જવાનો અને એક સીઆરપીએફ જવાન હોય છે.જયારે સ્ટેટીકલ સર્વેલન્સ ટીમની 45 ટીમો છે, આ ટીમ કોઈ એક જગ્યાએ એક કલાક ઉભી રહે તો કોઈક જગ્યાએ બે કલાક પણ વોચ રાખે છે.ચૂંટણી અંગે કોઈને ફરિયાદ હોય તો તે ફલાઈંગ સ્કવોડને રજૂઆત કરી શકે છે.ફલાઈંગ સ્કવોડ ત્રીજી નવેમ્બર અને સ્ટેટીકલ સ્કવોડ 9મી નવેમ્બરથી કામ કરી રહી છે.21 દિવસમાં 15000 જેટલા વાહનોનું ચેકિંગ કર્યું છે પણ કોઈની પાસેથી કાંઇ વાંધાજનક મળેલું નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: