Friday, November 11, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» સિદ્ધાર્થ શુક્લાથી લઈને રાજુ શ્રીવાસ્તવ સુધી, હાર્ટ એટેકના કારણે આ સ્ટાર્સે ગુમાવ્યો જીવ
નવે 11, 2022 | 9:25 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: નેન્સી નાયક
નવે 11, 2022 | 9:25 p.m

ટેલિવિઝન એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આજે 11 નવેમ્બરે જીવ ગુમાવ્યો છે. 46 વર્ષની ઉંમરે તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

લોકોના ફેવરિટ સ્ટાર સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુનું કારણ પણ હાર્ટ એટેક હતું. માત્ર 40 વર્ષની ઉંમરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

બોલિવૂડ સિંગર કેકેને પણ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. કોલકાતામાં એક લાઈવ શોમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમનું નિધન થયું હતું.

કોમેડીના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવે પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

‘ભાભીજી ઘર પર હૈ’ના સ્ટાર દિપેશ ભાનને પણ હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટ મુજબ બ્રેઈન હેમરેજ પછી તેનું હાર્ટ ફેલ ગયું હતું.

મંદિરા બેદીના પતિ અને ફેમસ ફિલ્મમેકર રાજ કૌશલનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેમનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર 50 વર્ષની હતી.

કન્નડના જાણીતા કલાકાર પુનીત રાજકુમારને પણ છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્કઆઉટ દરમિયાન તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.