Wednesday, November 23, 2022

ભારત- બાંગ્લાદેશની મેચના સ્થળમાં થયો ફેરફાર, ધમકી મળતા લેવામાં આવ્યો મોટો નિર્ણય

ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને બાંગ્લાદેશ સામે વન ડે અને ટેસ્ટ સીરીઝ રમવા જશે. પણ બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

ભારત- બાંગ્લાદેશની મેચના સ્થળમાં થયો ફેરફાર, ધમકી મળતા લેવામાં આવ્યો મોટો નિર્ણય

ભારત વિ પ્રતિબંધ 3જી ODI સ્થળ બદલાયું

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

ટી20 વર્લ્ડકપ 2022માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં વરસાદના વિધ્નના કારણે ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી શકી ન હતી. પણ આ ટી20 સીરીઝમાં ભારતીય ટીમે 1-0થી જીત પણ મેળવી છે. 25 નવેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ રમશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને બાંગ્લાદેશ સામે વન ડે અને ટેસ્ટ સીરીઝ રમવા જશે. પણ બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે સીરીઝમાં ત્રીજી મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ વન ડે સીરીઝ રમશે. જેમાં 10 ડિસેમ્બરે ત્રીજી વન ડે રમાશે. પણ આ પહેલા આ વન ડેના સ્થળને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશ સામેની ત્રીજી વન ડેના સ્થળમાં ફેરફાર થયો છે.

ધમકી મળતા લેવામાં આવ્યો મોટો નિર્ણય

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વન ડે બાંગ્લાદેશના ઢાકામાં રમાવાની હતી. પણ હવે આ મેચ ચટગામમાં રમાશે. 10 ડિસેમ્બરે ભારત-બાંગ્લાદેશની ત્રીજી વન ડે સમય એ બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી એ વિરોધ પ્રદર્શનનું એલાન કરીને રેલીનું આયોજન કર્યુ છે. તેથી વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રીજી મેચનું સ્થળ બદલી નાખ્યુ છે.

જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ સમયે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની તમામ 3 વન ડે મેચ ઢાકામાં જ થવાની હતી. પણ વિરોધ પ્રદર્શનને કારણે છેલ્લી વન ડે મેચ ચટગાંવમાં થશે. ઢાકાના આ સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની બીજી મેચ પણ રમાશે. જે 14 ડિસેમ્બરના રોજ શરુ થશે.

વન ડે સીરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર.

Related Posts: