Tuesday, November 15, 2022

શ્રદ્ધા જેવી યુવતીઓ ફરી વિચાર કરો, લક્ષ્મણરેખા ઓળંગીને સીતા મૈયા પણ જોખમમાં મુકાયા હતા: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સીતા માતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યુ કે, લક્ષ્મણ રેખા બનાવવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યુ હતુ કે આ રેખા બહાર તમને ખતરો છે. આ રેખામાં જ રહેજો, નહીં તો જોખમ રહશે. પોતાના ધર્મમાં જ લગ્ન કરવા, પૂર્વજો એ પોતાના અનુભવથી આ પ્રથા બનાવી છે.

શ્રદ્ધા જેવી યુવતીઓ ફરી વિચાર કરો, લક્ષ્મણરેખા ઓળંગીને સીતા મૈયા પણ જોખમમાં મુકાયા હતા: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

દિલ્હીની ક્રાઈમ સીટી તરીકેની છબી ફરી દેશને યાદ આવી ગઈ છે. દિલ્હીમાં ફરી એક યુવતી સાથે રાક્ષસ જેવુ વર્તન કરવામાં કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં આફાતબના નામના એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના 35થી વધારે ટુકડા કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના જાણી દેશ સહિત આખી દુનિયાના લોકો દંગ રહી ગયા છે. તે આરોપી યુવકે તેના ટુકડા એક એક કરીને જંગલમાં પણ ફેંકી દીધા છે. આ કેસ જ્યારે લોકો સામે આવ્યો ત્યારે આરોપી વિરુધ દેશભરના લોકોએ રોશ વ્યક્ત કર્યો છે અને કડક સજાની માગ કરી છે. મેરઠ પહોંચેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ આ ઘટના પર પ્રતિક્રયા આપી છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સીતા માતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યુ કે, લક્ષ્મણ રેખા બનાવવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યુ હતુ કે આ રેખા બહાર તમને ખતરો છે. આ રેખામાં જ રહેજો, નહીં તો જોખમ રહશે. પોતાના ધર્મમાં જ લગ્ન કરવા, પૂર્વજો એ પોતાના અનુભવથી આ પ્રથા બનાવી છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન

સોમવારે સાંજે મેરઠમાં ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દિલ્હીમાં શ્રદ્ધા સાથે બનેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુ કે, પૂર્વજ કહેતા કતા કે પોતાના જ ઘર્મના લોકો સાથ જ લગ્ન કરવા, કારણે કે તેમને તેના અનુભવ પહેલા થયા હશે. શ્રદ્ધા જેવી યુવતીઓને જો આફતાબ જેવા લોકો સારા લાગે છે તો એક ફરી એકવાર વિચાર કરી લો. પૂર્વજોની વાતો માનો. લક્ષ્મણે સીતા માતા માટે લક્ષ્મણ રેખા બનાવી હતી, તેમના કહેવા છતા તેમણે તેને પાર કરી, જેના કારણે તેઓ જોખમમાં મુકાયા હતા. પૂર્વજોનું માનો જેથી જોખમમાં આવવાનો સમય ન આવે.

આ છે આખી ઘટના

દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી કથિત પ્રેમના ભયાનક અંતનો એક ક્રૂર કિસ્સો સામે આવ્યો હતો. લિવ-ઈનમાં રહેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો અને છોકરાએ છોકરીના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. હાલ મામલો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લાશના 10 થી 12 ટુકડા હજુ સુધી મળ્યા નથી અને પોલીસ તેમની શોધમાં જંગલ-જંગલમાં ભટકી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ફ્લેટમાંથી દુર્ગંધ ન આવે તે માટે અગરબત્તીઓ સળગાવતો હતો અને રાત્રે 2 વાગ્યે શરીરના અંગોનો નિકાલ કરતો હતો.

ઘાતકી હત્યાનો આ મામલો 6 મહિના જૂનો છે અને આમાં આરોપી છોકરા આફતાબની પોલીસે ધરપકડ કરી છે. આ મર્ડર કેસનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા તેના પિતા સાથે મુંબઈના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને વર્ષ 2019માં મલાડમાં કોલ સેન્ટરમાં જોબ કરતી હતી. ત્યારે જ બંને મિત્રો બન્યા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જોકે શ્રદ્ધાના પરિવારને તેમના સંબંધો મંજૂર નહોતા.

Related Posts: