Gujarat Election 2022: નડિયાદથી ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કર્યુ છે. પંકજ દેસાઈએ ફોર્મ ભર્યા પહેલા રેલી કરી હતી. જેમા “ભારત માતા કી જય” ના ગગનભેદી નારા લાગ્યા હતા. રેલીમાં ગામના સરપંચો સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

પંકજ દેસાઈ
ખેડાના નડિયાદમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ આજે તેમનુ ઉમેદવારી ફોર્મ દાખલ કર્યુ હતુ. નડિયાદ ભાજપના ઉમેદવાર અને નરેન્દ્ર મોદીથી લઈ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ ફોર્મ ભર્યા પહેલા રેલી યોજી હતી જેમા 13 ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. રેલીના પ્રારંભે જ પંકજ દેસાઈને બી.એ.પી.એલના કોઠારી સ્વામીએ આશિર્વાદ આપ્યા હતા.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: નામાંકન પહેલા પંકજ દેસાઈએ યોજી વિશાળ રેલી
નડિયાદ ભાજપના ઉમેદવાર પંકજ દેસાઇ ની આજે નામાંકન ભરવા માટેની રેલી ઐતિહાસીક બની ગઇ હતી. નડિયાદ અને કણજરી શહેર પ્રમુખ-કાર્યકરો અને તેર ગામના સરપંચ અને ગ્રામજનો સહિત તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ પંકજ દેસાઈને પ્રચંડ જનસમર્થન આપવાની સાથે બે કિલોમીટરની આ રેલીમાં પગપાળા જોડાઇને ભારે હર્ષોઉલ્લાસ વ્યકત કર્યો હતો. આ સૌનું અભિવાદન મેળવી પંકજ દેસાઈ આભારની ની લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: સંતરામ મંદિરે દર્શન કરી મેળવ્યા આશિર્વાદ
મધ્ય ગુજરાતના અગ્રણી પાટીદાર તરીકે નામના મેળવનાર અને નડિયાદના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઇ એ આજે સવારે ફોર્મ ભરવાની રેલી પૂર્વે “નડિયાદના નાથ” સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ અને સંતરામ સમાધિસ્થાન ગાદીના પૂજન-અર્ચન અને દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગુલાબના ફૂલ- હારથી શણગારાયેલી ખુલ્લી ગાડીમાં ઇપ્કોવાળા હોલથી આ નામાંકન રેલીનો શુભારંભ થયો હતો.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: રેલીમાં BAPSના કોઠારી સ્વામીએ આવી આશિર્વાદ આપ્યા
રેલીના પાંચ ડગલા પ્રારંભે જ નડિયાદ BAPS સંસ્થાના કોઠારી સ્વામી ભગવાન સ્વામિનારાયણની ચલિત મૂર્તિ સાથે આવ્યા. હતા ત્યાં પંકજ દેસાઇએ ગાડીમાંથી ઉતરીને ભગવાનની પૂજા વંદના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ ‘વિજયી ભવ:’ ના શુભાશિર્વાદ પાઠવી, પ્રસાદ આપી મો મીઠું કરાવ્યું હતું. આ રેલીમા કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશના પદાધિકારી શકુંતલાબેન મહેતા, જહાન્વીબેન વ્યાસ, જીલ્લા પ્રમુખ નયનાબેન પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, મહામંત્રી વિકાસ શાહ, અજય બ્રહમભટ્ટ, ભાજપ અગ્રણી સુરેશભાઇ ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા સહીત નગરપાલિકાના કાઉન્સલરો, ભાજપના પદાધિકારીઓ સહિતના જોડાયા હતા.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: સંતરામ મંદિર રોડ પર ગૂંજી ઉઠ્યા નારા
આ રેલીમા વિશાળ સ્વરૂપમાં કમળની ધ્વજા પતાકા કેસરિયા ખેસ અને કેસરિયા ટોપી સાથે શહેરના રાજમાર્ગ સંતરામ રોડ, ઉપર થઇને ફરતી ફરતી સ્ટેશન રોડ, તાલુકા પંચાયત રોડ, અને RTO થઇને સરદાર પટેલ ભવન ખાતે આવી પહોંચી હતી. રસ્તામાં દુકાનદારો દ્વારા ઠેર-ઠેર રેલીના પદયાત્રિકો માટે ‘કોલ્ડ મિલ્ક’ અને ઠંડા પાણીની બોટલોની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. રેલી “ પંકજભાઇ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ” ના ગગનભેદી નારા સાથે આગળ વધી હતી.
આ રેલી સરદાર ભવન ખાતે પૂર્ણ થયા બાદ સૌ ટેકેદારો સાથે પંકજ દેસાઇ(પટેલ)એ જીલ્લા સેવા સદન ખાતે નડીઆદ વિધાનસભાના ચૂંટણી અધિકારી જે.એમ.ભોરાણીયા સમક્ષ પોતાનુ નામાંકનપત્ર વિજયમુર્હતમાં રજુ કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિહ ચૌહાણ મહેમદાવાદ ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ ટેકેદારો પીપલગના સરપંચ મનિષ પટેલ, મનિષ દેસાઇ (બોબ), તેજસ પટેલ, ડમી ઉમેદવાર હિતેશ પટેલ(બાપાલાલ) વગેરે ઉપસ્થિત રહયા હતા.