Saturday, November 26, 2022

Changes From 1 December 2022 : 5 દિવસમાં પતાવી લો આ મહત્વપૂર્ણ કામ નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

30 નવેમ્બર 2022 સુધી પેન્શન લેનારા પેન્શનરોએ તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જો લાઇફ સર્ટિફિકેટ સમયસર સબમિટ કરવામાં ન આવે તો તમારું પેન્શન અટકી શકે છે. આ સાથે ડિસેમ્બર મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે.

Changes From 1 December 2022 : 5 દિવસમાં પતાવી લો આ મહત્વપૂર્ણ કામ નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

1 ડિસેમ્બર 2022 થી ફેરફારો

જો તમે તમારા મહત્વપૂર્ણ કાર્યોને આગામી મહિના સુધી મુલતવી રાખ્યા છે તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે 1 ડિસેમ્બર 2022 થી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોમાં દર મહિનાની પહેલી તારીખે સામાન્ય રીતે એલપીજી સિલિન્ડર, સીએનજી, પીએનજીની કિંમતો નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત 30 નવેમ્બર 2022 સુધી પેન્શન લેનારા પેન્શનરોએ તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જો લાઇફ સર્ટિફિકેટ સમયસર સબમિટ કરવામાં ન આવે તો તમારું પેન્શન અટકી શકે છે. આ સાથે ડિસેમ્બર મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે.

જીવન પ્રમાણપત્ર સબમિટ કરો

કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પેન્શન મેળવનાર વ્યક્તિઓએ વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. પેન્શનરોએ આ પ્રમાણપત્ર 30 નવેમ્બર 2022 સુધીમાં સબમિટ કરવાનું રહેશે. આ માટે પેન્શનરો બેંકની શાખામાં અથવા ઓનલાઈન જઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.  પેન્શન બંધ ન થાય અને કોઈ સમસ્યા ન થાય તે માટે આ પ્રક્રિયા જરૂરી છે. આ કામ  30 નવેમ્બર સુધી કરવાનું રહેશે.

બેંકો 13 દિવસ બંધ રહેશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં બેંકોનું કામકાજ કુલ 13 દિવસ બંધ રહેશે. 13 દિવસની બેંક રજાઓ એ બીજા અને ચોથા શનિવાર અને બધા રવિવારની રજાઓ સાથે છે. નાતાલ, વર્ષનો અંતિમ દિવસ અને ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મદિવસ પણ ડિસેમ્બર મહિનામાં આવી રહ્યો છે, આ દિવસે બેંકોમાં રજા હોય છે. ભારતમાં ખાનગી અને જાહેર બેંકો રજાના દિવસે બંધ રહે છે. કેટલીક બેંકો સ્થાનિક તહેવારો અને રજાઓના દિવસે રાજ્યમાં બંધ રહે છે. જ્યારે બેંકો બંધ હોય ત્યારે તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા તમારું મોટા ભાગનું કામ પતાવી શકો છો.

CNG-PNGના ભાવમાં ફેરફાર

CNG અને PNG ના ભાવો મોટાભાગે દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે અથવા પ્રથમ સપ્તાહે બદલાય છે. નોંધનીય છે કે દિલ્હી અને મુંબઈમાં મહિનાના પહેલા અઠવાડિયામાં પેટ્રોલિયમ કંપનીઓ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી-NCR અને મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો થયો છે.

એલપીજીના ભાવ નક્કી કરવામાં આવશે

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો)ના ભાવમાં ઘટાડો કર્યો હતો. જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વખતે પણ આશા છે કે ઓઈલ કંપનીઓ ભાવ ઘટાડી શકે છે.

Related Posts: