- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- A Crime Has Been Registered Against Three In laws Including The Wife In Connection With This Incident Which Took Place In Narmada Canal Of Gandhinagar
ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

બે બાળકો સાથે આત્મહત્યા કરી લેનાર યુવક
ગાંધીનગરનાં રાયપુર સાયફન પાસેની નર્મદા કેનાલમાં બે માસૂમ બાળકો સાથે પિતાએ આપઘાત કરી લેવાના પ્રકરણમાં પત્ની, સાસુ તેમજ મામા સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો ડભોડા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આપઘાત કરતા પહેલા યુવાને બે સંતાનો સાથે કેનાલ પાસે આવીને વિડિઓ બનાવીને આપવીતી વર્ણવી હતી.

પત્ની સાથે મૃતક યુવાન
અમદાવાદના દસકોઇ તાલુકાના પરઢોલ ગામના મનુજી બાબરજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને સંતાનમાં બે દીકરી તથા એક દીકરો છે. જેમાં સૌથી મોટો દીકરો વિનોદજી હતો. તેનાથી નાની દીકરી નામે દક્ષાબેન છે તેનાથી નાની દીકરી નામે જ્યોત્સ્નાબેન છે. જે બહેરી મૂંગી છે. વિનોદજીના લગ્ન અગાઉ કરોલી ખાતે કર્યા હતા. પરંતુ ત્યાંથી છુટાછેડા થયા પછી ફરીથી તેના લગ્ન સોનારડા ગામે રહેતા રમેશજી લક્ષ્મણજી ઠાકોરની દીકરી કોમલ સાથે આશરે સાતેક વર્ષ અગાઉ સમાજના રીત રીવાજ મુજબ કર્યા હતા. અને તેને સંતાનમાં બે દીકરા રીષભ (ઉ. વ.4) તથા તેનાથી નાનો આરવ (ઉ.વ 2) હતો.

વિનોદની પત્ની છેલ્લા સાતેક માસથી બે બાળકોને સાસરીમાં મૂકીને રીસાઇને તેના પિયર જતી રહી હતી. છેલ્લા બે વર્ષથી કોમલ અવાર નવાર તેના માતા તથા મામાની ચઢવણીથી ઘરેથી રીસાઇને જતી રહેતી હતી. જેને પાછી લઈ આવવા માટે વિનોદ અવાર નવાર તેના મામાજી ગુગાજીને કહેતો હતો. પરંતુ તે રૂ. 10 લાખ માંગી છૂટાછેડા આપી દેવાની વાત કરતા હતા. અને જો છૂટાછેડા આપવા ના હોય તો મહિને દસ હજાર ભરણપોષણ ચૂકવવાની ધમકીઓ આપતાં હતાં.
જેનાં કારણે વિનોદ ટેન્શનમાં રહેતો હતો. અને વારંવાર પત્ની કોમલ અને સાસુ કેશીબેનને સમજવા પ્રયાસો કરતો હતો. પરંતુ બંને રૂપિયાની માંગણી કરતાં હતાં. હતા. આ મામલે ગામના સરપંચે પણ સમાધાનના પ્રયાસ કરેલા પણ સાસરિયા માનવા તૈયાર થયા ન હતા. બાદમાં ગત 21 તારીખે પડોશી વિનુભાઇએ મનુજી ઠાકોરને ફોન કરીને કહેલ કે તમારા દીકરાનો ફોન આવેલ, જે ટેબલીવાળા ગોચરમાં છે અને દવાની બોટલ લઇ બેઠેલ છે. તમે ત્યાં પહોંચી જાઓ. આથી મનુજી તાત્કાલિક ખેતરમાંથી ટેબલીવાળા ગોચરમાં ગયા હતા પણ વિનોદ ત્યાં નહોતો.
આથી મનુજી તેમના ભાણિયાને લઈને બાઈક ઉપર વિનોદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ફોન કરતાં વિનોદે બે દિકરા રમી રહ્યા હોવાનું કહી થોડી વારમાં ઘરે આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી. જો કે તેણે બે સંતાનો સાથે કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો. આ અંગે મનુજી ની ફરિયાદના આધારે ડભોડા પોલીસે પત્ની, સાસુ અને મામા સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.