પોરબંદર10 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પોરબંદર જિલ્લામાં રેલી, સભા, માઇક દ્વારા પ્રચાર બંધ ડોર ટુ ડોર પ્રચારનો દૌર શરૂ થશે
વિધાનસભાની ચૂંટણી અનુસંધાને આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થશે. રેલી, સભા, માઇક દ્વારા પ્રચાર શાંત થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે હવે ગણતરીના દિવસ બાકી છે. ચૂંટણી જાહેર થતા 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
જેમાં પોરબંદર બેઠક માટે 11 અને કુતિયાણા બેઠક માટે 13 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અને આ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. અને ચૂંટણી ખર્ચ પણ કર્યો છે. જેમાં ઉમેદવારોએ લારી, રિક્ષામાં માઇક દ્વારા પ્રચાર, વિવિધ વિસ્તારમાં સભા, રેલી સહિતના માધ્યમ વડે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
મતદાન ની તા. 1 ડિસેમ્બર છે ત્યારે નિયમ મુજબ ચૂંટણી લક્ષી પ્રચાર આજે તા. 29 નવેમ્બરના સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે. અને ઉમેદવારોને આ પ્રકારે તા. 29 ના સાંજે 5 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવેલ છે. ત્યારે આજે સાંજે 5 વાગ્યાથી આ પ્રકારનો ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થશે. આજે સાંજે 5 વાગ્યાથી રેલી, સભા, લારી, રિક્ષામાં માઇક દ્વારા ચૂંટણી પ્રચાર શાંત થશે. છેલ્લા 48 કલાક ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે.