ગાંધીનગર5 મિનિટ પહેલા
- કૉપી લિંક

- પેથાપુરમાં કોંગ્રેસના શક્તિસિંહ, જગદીશ ઠાકોરની જાહેરસભા
પેથાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહીલે જાહેરસભા સંબોધી હતી. શક્તિસિંહે ગોહિલે કહ્યું હતું કે, ‘પેથાપુરમાં રાજકીય નહીં આત્મીય સમીકરણ માટે આવ્યો છું. આપણે જ્યાં જોઈએ ત્યાં ભરોસાની ભાજપ સરકાર બેનરો જોવા મળે છે.
પણ કહેવત છે ભરોસાની ભેંસ પાડો જણે, ગુજરાતની જનતાએ મુકેલા ભરોસામાંથી અનેક વખત પાડા જ જણ્યા છે. એટલે હવે આ લોકોને રવાના કરવા પડે છે. ખેતરમાં ટ્રેક્ટર ખોટવાય તો બીજુ ટ્રેક્ટર લાવીને ખોટવાયેલા ટ્રેક્ટરને બહાર કઢાય છે.
એ જ રીતે ભાજપની ડબલ એન્જિનની સરકારમાં અહીંને મુકેલા એન્જિનો ક્યાંય ચાલે એમ નથી અને વારંવાર ખોટવાય જાય છે એટલે દિલ્હીથી બીજું એન્જિન લાવવું પડે છે. એટલે કોંગ્રેસની સરકાર લાવશો તો એક જ સારા એન્જિનથી કામગીરી થશે અને ગેંસના ભાવ ઘટશે, જૂની પેન્શન યોજના લાગુ પડશે, ફિક્સ પે અને આઉટસોર્સની નિતિ નહીં હોય.’ આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ‘ભાજપ ભાગલા પાડોને રાજ કરોની નીતિથી છેલ્લા 27 વર્ષથી ગુજરાત પર રાજ કરે છે. એમને ખબર છે કે પેથાપુરમાં કેટલા વાસ છે અને ક્યાં કોને લડાવવાના છે.
મને એ વાત કોરી ખાય છે કે આટલો મોટો ક્ષત્રિય સમાજ છે છતાં સાશનમાં નથી. આ વખતે બધુ ભૂલીને એક થાય તે જરૂરી છે. કોંગ્રેસની સરકાર આવશે તો તમે દરવાજે લાત મારીને અમને રજૂઆત કરવા આવી શકશો. 27 વર્ષથી રાજ કરનારા લોકો તમને નહીં સાંભળે. એટલે આ વખતે 8મી તારીખે ગોળ-ધાણા વેચાય એવા સમાચાર આપજો.’