ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની ધરતી પર આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં કચ્છમાં પ્રચાર અભિયાન માટે પહોંચ્યા હતા.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કચ્છમાં પ્રચાર અભિયાન માટે પહોંચ્યા હતા. કચ્છની ધરતી પરથી ઉત્તરપ્રદેશના CM યોગી એ હુંકાર કર્યો હતો કે, ગુજરાતમાં ફરી બનશે BJPની ડબલ એન્જિન સરકાર.
પોતાના સંબોધન દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યુ કે, દ્વારકાના પુનનિર્માણનું કાર્ય 5 હજાર વર્ષ પછી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરુ કરવામાં આવ્યુ છે. ભગવાન શ્રી કૃષ્ણના એક મંદિરનું પુનનિર્માણ થઈ રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારકા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકની ચૂંટણી પ્રચાર સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.
કચ્છમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
ભગવાન શ્રી દ્વારકાધીશની પવિત્ર ભૂમિ, જિલ્લા દેવભૂમિ દ્વારકા, ગુજરાતની દ્વારકા વિધાનસભા મતવિસ્તારની રાષ્ટ્રવાદી જનતાને લોકકલ્યાણકારી ડબલ એન્જિનની ભાજપ સરકારમાં વિશ્વાસ છે… https://t.co/JhabVnqicg
— યોગી આદિત્યનાથ (@myogiadityanath) 23 નવેમ્બર, 2022
ગુજરાતના દ્વારકા જિલ્લામાં એકત્ર થયેલ વિશાળ રાષ્ટ્રવાદી ભીડ, જે ભગવાન કૃષ્ણની અસંખ્ય પવિત્ર સ્મૃતિઓને યાદ કરે છે, તે સિંધુ ભાજપની ઐતિહાસિક જીતનું ગીત છે.
અહીંનું સુશાસન પ્રજાના પ્રિય શ્રી દ્વારકાધીશના ચરણોમાં વિકાસના વિજયનું કમળ અર્પણ કરશે.
દેવભૂમિ દ્વારકાના લોકોનો આભાર! pic.twitter.com/TQCKKwa8uO
— યોગી આદિત્યનાથ (@myogiadityanath) 23 નવેમ્બર, 2022
યોગી આદિત્યનાથે સભા દરમિયાન કહ્યુ કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર 2023ના અંત સુધીમાં બની જશે. જે ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે , કોંગ્રેસ પાર્ટી ભારતીયોની આસ્થાનું સમ્માન નથી કરતી. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં હોત તો અયોધ્યામાં રામ મંદિર બનાવવું અશક્ય હતુ.
ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે.