Wednesday, November 16, 2022

Gujarat Election 2022 : કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઇને કકળાટ, પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. તેમને નવી યાદીના ટિકિટ આપવામાં આવી ન હતી. જેમાં પેટલાદના નારાજ ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય જગદીશ ઠાકોરને રાજીનામું આપ્યું છે. તેમણે ધારાસભ્ય પદ અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 16, 2022 | 10:58 p.m

ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમા આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેમાં ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં અસંતોષ જોવા મળ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ટિકિટ ન મળવાથી કે નારાજ કાર્યકરો અનેક સ્થળોએ દેખાવો કર્યા છે અને અનેક કાર્યકરોએ રાજીનામા પણ આપ્યા છે. જેમાં ભાજપ – કોંગ્રેસ બંને પક્ષોમાં હાલ ટિકિટને લઇને ઉકળતો ચરુ છે. જેમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. તેમને નવી યાદીના ટિકિટ આપવામાં આવી ન હતી. જેમાં પેટલાદના નારાજ ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય જગદીશ ઠાકોરને રાજીનામું આપ્યું છે. તેમણે ધારાસભ્ય પદ અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

જ્યારે બીજી તરફ દહેગામ બેઠક પર કોંગ્રેસના કામિનીબા રાઠોડનું પત્તુ કપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. દહેગામમાં કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે. કામિનીબાના સમર્થકોએ જગદીશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી તરફ કામિનીબાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સામે ટિકિટ વેચણીને લઈ પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે લોભ-લાલચથી અન્યને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું કે, “સમર્થકો કહેશે તો અપક્ષમાંથી ઉમેદવારી કરીશ

Related Posts: