બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર શંકર ચૌધરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. શંકર ચૌધરી સાંસદ પરબત પટેલ સાથે બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. થરાદ બેઠક ભાજપ માટે મહત્વની બેઠક મનાય છે.
ગુજરાતમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે , ત્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર શંકર ચૌધરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. શંકર ચૌધરી સાંસદ પરબત પટેલ સાથે બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. થરાદ બેઠક ભાજપ માટે મહત્વની બેઠક મનાય છે.સાંસદ પરબત પટેલ પણ આ બેઠક પરથી પાંચવાર વિધાનસભા લડી ચૂક્યા છે. જેમાં કેસરી ટોપી અને ખેસ સાથે કેસરીયો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ આ બેઠક પરથી જીત્યા હતા.થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની હતી. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર હતા. આ પેટાચૂંટણીમાં 6372 મતોથી ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો.વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીત્યા હતા.