Monday, November 21, 2022

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!

રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, “કેટલાક લોકો ‘મોદી, મોદી’ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે.

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!

અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં  આમ આદમી પાર્ટીનો  રોડ શો  હતો તે દરમિયાન  ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે  હું તમારા  દિલ જીતીને  રહીશ.

સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની  જે  ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આપ પાર્ટી  તેમના બાળકો માટે શાળાઓ બનાવશે અને મફત વીજળી આપશે. તેમણે કહ્યું કે AAP એક દિવસ મોદીની તરફેણમાં નારા લગાવનારા આ લોકોનું દિલ જીતી લેશે. રોડ શોમાં લોકોને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, “કેટલાક લોકો ‘મોદી, મોદી’ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. ,

તેમણે કહ્યું, “અમારી કોઈની સાથે દુશ્મની નથી. તમે જેને ઈચ્છો તેની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી શકો છો. એક દિવસ અમે તમારું દિલ જીતી લઈશું અને તમને અમારી પાર્ટીમાં લાવીશું. તેમની પાર્ટીની રોજગારની ગેરંટી અને નોકરી ઇચ્છુકોને રૂ. 3000 નું બેરોજગારી ભથ્થું પુનરાવર્તિત કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. તેમણે કહ્યું કે એવી કોઈ પાર્ટી નથી જે શાળાઓની વાત કરે. શું કોઈ પક્ષે શાળાઓ, હોસ્પિટલો બનાવવા, નોકરીઓ અને મફત વીજળી આપવાનું વચન આપ્યું છે? અમારી પાર્ટી જ આ મુદ્દાઓ પર વાત કરે છે. કેજરીવાલે કહ્યું કે જો લોકોને ગુંડાગીરી કરવી અને અપશબ્દો બોલવી ગમે તો તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે છે. જો તમે શાળાનું નિર્માણ કરવા માંગતા હોવ તો મારી પાસે આવો. હું એન્જિનિયર છું જો તમને વીજળી, હોસ્પિટલ અને રસ્તાની જરૂર હોય તો મારી પાસે આવો. અન્યથા ગુંડાગીરી માટે તેમની પાસે જાઓ. તેમણે એમ પણ ઉમેર્યું કે હું અહીં પાંચ વર્ષ માગવા આવ્યો છું. તમે તેમને 27 વર્ષ આપ્યા, મને પાંચ વર્ષ આપો. જો હું કામ નહીં કરું તો હું ફરી ક્યારેય તમારી સામે નહીં આવું.

Related Posts: