સુરત9 મિનિટ પહેલા
- કૉપી લિંક

સભાઓ દ્વારા નેતાઓ શક્તિપ્રદર્શન યોજી રહ્યા છે.
મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રચારને પણ હવે થોડો જ સમય બાકી રહ્યો હોવાથી દરેક રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. આજે ભાજપના કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા ગોરધનભાઈ ઝડફિયા મેદાને ઉતરીને રોડ શો કરવાની સાથે સાથે સભાઓ ગજવશે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ડોર ટુ ડોર કેમ્પેઈનની સાથે સાથે સભામાં શક્તિ પ્રદર્શન યોજી રહ્યાં છે.

આપના સુરતના સંગઠન મંત્રી સામે ફરિયાદ દાખલ થઈ છે.
આપના સંગઠન મંત્રી સામે ફરિયાદ
આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રજનીકાંત પોપટ વાઘાણી સામે સિગણપોર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. જેમાં વાત એવી છે કે વિધાનસભાની ચૂંટણી લઈ 22મી તારીખે ડભોલી ચાર રસ્તા પાસે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રજનીકાંત પોપટ વાઘાણીએ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જેને લઈ સમાજની લાગણી દુભાય હતી. ત્યાર બાદ રજનીકાંત વાઘાણી સોસીયલ મીડિયાના માધ્યમથી માફી પણ માંગી હતી. બીજી તરફ વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલા આચારસહિતાનો ભંગ થયો હતો. આથી ચૂંટણી અધિકારીએ પોલીસમાં એક સીડી રજૂ કરી હતી. જે સીડીના આધારે પોલીસે જાતે ફરિયાદી બની આપના સંગઠન મંત્રી રજનીકાંત પોપટ વાઘાણી સામે ગુનો નોંધ્યો છે.

ભગવંત માને રોડ શો યોજી મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો.
નિઃશુલ્ક વીજળી, શિક્ષણ આપવામાં આવશે: ભગવંત માન
બારડોલીના તલાવડી મેદાન નજીક આંબેડકર સર્કલથી ભગવંત માનનો રોડ શો સરદારચોક, જલારામ મંદિર થઈ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. રોડ શો બાદ ભગવંત માન તેન ગામમાં આવેલા ગુરુદ્વારા નજીક પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે જળ, જમીન, જંગલ પર આદિવાસીઓનો હક છે. તેમને પૂછ્યા વગર જંગલના વૃક્ષો કાપી ડુંગરો ખોદવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર બાબતે દિલ્હી અને પંજાબના ઉદાહરણ આપી ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદી બાબતે વિશેષ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અટકાવી તેના જ પૈસાથી લોકોને નિઃશુલ્ક વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ આપવામાં આવશે.

રૂપાલાએ સૌરાષ્ટ્રને તરસ્યું રાખવા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.
રૂપાલાએ નર્મદાના રોડા નાખનાર કોંગ્રેસને આડેહાથે લીધી
ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વરાછાના સરદાર સમૃતિભવન નજીક જાહેર સભા સંબોધી હતી. જેમાં વિનાશક પૂર અને કોરોના કાળમાં પણ પ્રજા વચ્ચે ઊભા રહી મોદી સરકારે કરેલી કામગીરીઓ રજૂ કરીને કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યાં હતાં. આ સાથે જ આપ પાર્ટીને ટાંકી કહ્યું કે, ગુજરાતને બદનામ કરનાર દિલ્લી વાળાઓ હવે ગુજરાતની સમૃદ્ધતા અને છલોછલ તિજોરી જોઇ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યાં છે તેમને ગુજરાતની, મારી કે તમારી પડી નથી. સભામાં રૂપાલાએ નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરીમાં થયેલા વિલંબને પણ યાદ કરી તે વખતે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાત સાથે અન્યાયી વલણ કર્યાનાં આક્ષેપ પણ કર્યાં હતાં.

આપ-કોંગ્રેસ પર સ્મૃતિેએ પ્રહારો કર્યા હતા.
ઈરાનીના પ્રહાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વેડરોડના એક ફાર્મમાં મહિલા મોરચાને સંબોધન આપતાં કહ્યું હતું કે, `કોઇ ગુજરાતી અને સભ્ય તથા સંસ્કૃતિ લોકો કોઇની માતાનું અપમાન નહીં કરે.` જોકે વરાછા વિસ્તારમાં થયેલી એક જાહેર સભામાં મંચથી સ્થાનીક ઉમેદવાર કુમાર કાનાણીએ સામે ઉભેલા ઉમેદવારે તેની બાના ઘુંટણ પણ મા કાર્ડમાં બદલાવ્યાં હોવાનું કહ્યું હતું. મંચ પરથી કોઇની માતા વિશે જાહેર ટિપ્પણી કરવા પર કુમારભાઇની સામે ઉભેલા ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ આ રીતે કોઈકની માતાએ લીધેલી સારવારને જાહેરમાં ચર્ચાનો વિષય બનાવવાને અયોગ્ય ગણાવી હતી.