33 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલો તે ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા શાબ્દિક પ્રહાર
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોડ સોર થી શરૂ થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાનાં નેતાઓ હવે જાહેર સભાને સંબોધી રહ્યા છે. સુરતના કામરેજ વિધાનસભામાં આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સભાને સંબોધી હતી. ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા.
ભાજપની ચાલ ચરિત્ર લોકો સમજી ગયા
સરકાર માત્ર લોકોને લૂંટી રહી છે. ગુજરાતની સરકારે જેટલા પણ વાયદા કર્યા હતા તે પૂરી કરી શકતી નથી. હવે કોંગ્રેસ સરકાર વાયદા નથી કરતી પરંતુ ગેરંટી આપી રહી છે. રાહુલ ગાંધીજી આપી છે તે તમામ ગેરંટીઓ પૂર્ણ કરવામાં આવશે. લોકોનું મંત્રી તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે છે વાતો કરી છે હવે તેને પૂર્ણ કરશે માત્ર વાયદા ને પરંતુ ગેરંટી સાથે અમે પણ આવ્યા છે. રાજસ્થાનમાં જે પ્રકારે જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે એવી જ રીતે ગુજરાતમાં પણ લાગુ કરાશે. પોતે કીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે આખા દરેક વ્યક્તિને દસ લાખ રૂપિયા વળતર મળવું જોઈએ. અકસ્માત મોતના કિસ્સાઓમાં 10 લાખ રૂપિયા મળવા જોઈએ. સોશિયલ સિક્યુરિટી નો મુદ્દો છે વડાપ્રધાને અને સમગ્ર દેશમાં લાગુ કરવો જોઈએ. સરકારી નોકરી કરનારા ની સાથે માનવીય રીતે વિચારવું જોઈએ અને તેમને આર્થિક સિક્યુરિટી મળે તેના માટે પેન્શન યોજના યોગ્ય રીતે અમલમાં લાવવી જોઈએ. નવી પેન્શન યોજનામાં શેરબજારના આધારે પેન્શન મળશે આ ખરેખર આ યોગ્ય છે.
ચોકવનારા ચૂંટણી પરિણામ હશે
આ વખતે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હશે. લોકતંત્રમાં વિપક્ષ પણ હોય છે અને ત્યાલોચના પણ કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બાબત ક્યારેય સહન કરી શકે તેમ નથી. અહીંયા તો કોઈપણ સરકારની આલોચના કરે તો તેમને જેલમાં તકલી દેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતમાં કાળા ઝંડા બતાવ્યા તો તેમની સામે પાસા કરી દેવામાં આવ્યા હતા. તો પણ આ પ્રકારના પગલાં લેવા એ યોગ્ય નથી. વડાપ્રધાન પોલીસ તંત્રને કહે છે કે આ ચાર નિર્દોષ કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે શા માટે પાસા લગાડવામાં આવ્યા છે. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા ધારાસભ્યો પર હુમલો કર્યો અને આહિની સ્થિતિ જુઓ કેટલી ભયંકર છે કે એમણે ભાજપે હુમલો કર્યો અને ગુનો બીજા ગ્રસ્ત અમારા ધારાસભ્ય ઉપર નોંધાયો.
ઉમેદવારોને જીતાડવા અપીલ કરી
સુરતના લોકોને હું અપીલ કરું છું કોંગ્રેસનો ઉમેદવારોને જીતા રે જે પ્રકારે ઉમેદવાર લોકોની સેવા કરી રહ્યા છે ખરેખર કાપીને દાંત છે કામરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર હજી તો ધારાસભ્ય થયા નથી પરંતુ તે પહેલા જ તેઓ પોતે લોક સેવાની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે એવી જ રીતે અમારા અન્ય ઉમેદવારો પણ કામ કરશે. સુરતની જનતા ખૂબ સારી રીતે કોંગ્રેસના સહકાર આપી રહ્યા છે. કામરેજ વિધાનસભાના અને વરાછા વિધાનસભાના ઉમેદવાર જો ધારાસભ્ય થશે તો તેઓ તેનું વર્તન ન લઈને વિધવા બહેનોના પરિવારને આપી દેશે. સમાજ સેવાના હેતુથી જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમનું વેતન પણ આ જ રીતે ઘરે પરિવારોને આપવાનો નિર્ણય લીધો છે.