Sunday, November 27, 2022

ઇન્દ્રનીલે ચાલુ સભામાં કહ્યું:'મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે', ભાજપના ચાબખા:'કોંગી નેતાઓ તકવાદી સાધુઓ છે' | Indranil said in ongoing meeting: 'In my opinion Allah and Mahadev are one', BJP whip: 'Congo leaders are opportunistic monks'

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Indranil Said In Ongoing Meeting: ‘In My Opinion Allah And Mahadev Are One’, BJP Whip: ‘Congo Leaders Are Opportunistic Monks’

રાજકોટઅમુક પળો પહેલા

ગુજરાતમાં ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. તેમાં પણ સૌરાષ્ટ્રની રાજનીતિ તો કાંઇ અલગ છે. રાજકોટ કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શહેરની એક સભાનાં સંબોધનમાં બોલેલું વાક્ય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતાની પ્રચાર સભા દરમિયાન ‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે. હું સોમનાથ ભક્તો સાથે બસમાં જાવ કે અજમેર મુસ્લિમ સાથે ટ્રેનમાં જાવ બંનેમાં સરખી ખુશી મળે છે, મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે. જયારે તેઓ અલ્લાહ હુ અકબર બોલે છે એ સમયે સામે લોકો ‘મહાદેવ હર બોલી રહ્યા છે’ ત્યારે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ધર્મના નામે રાજકારણ શરૂ થયું છે. આ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ મીડિયાને કહ્યું હતું કે,’ તેમનું કામ તકવાદી સાધુ જેવું છે,પોતાની કોઈ વિચારધારા નથી’

..તો તમે મહાદેવ બોલજો
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શનિવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ વિધાનસભા પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ‘અલ્લાહ હુ અકબર’ બોલે છે જયારે સામે લોકો મહાદેવ હર બોલી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ પોતાના ભાષણની શરૂઆતમાં એવું કહ્યું હતું કે, ધર્મના નામે જે લોકો અલગ કરવા માંગે છે તે લોકો ને ખબર પડે એટલે હું અલ્લાહ હું અકબર બોલું તો તમે મહાદેવ બોલજો.

મારા પર ખોટા આક્ષેપો લગાડવામાં આવે છે: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

મારા પર ખોટા આક્ષેપો લગાડવામાં આવે છે: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

ભાગ પડવવાનું કામ ભાજપ કરે છે
આ સાથે ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ કે, હિન્દુ મુસ્લિમ નહી જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડવવાનું કામ ભાજપ કરે છે. મારા પર મહાદેવની દયા છે અને અલ્લાહની દયા છે. લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. આ સાથે તેમણે જણાવ્યુ કે, હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાવ ત્યારે પણ એટલો જ આનંદ આવે છે.

અમે ઇન્સાન છીએ
વધુમાં તેમણે કહ્યું હતું કે, અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. બે નારા મારે એક સાથે બોલવા છે, હું અલ્લાહ હુ અકબર બોલું તમે મહાદેવ બોલજો. આપણને જુદા કરવા માંગે છે એ લોકો ને ખબર પડવી જોઈએ કે અમે ઇન્સાન છીએ.ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર વિસ્તારમાં મોટા ભાગે લઘુમતી સમાજ રહેવાસ કરે માટે લઘુમતી સમાજના લોકો સમક્ષ ચૂંટણી લક્ષી ભાષણ સમયે તેઓએ કહ્યું હતું ધર્મના નામે લોકો રાજકારણ કરે છે તેમને કરવા દ્યો મારે ધર્મના નામે રાજકારણ નથી કરવું’.

કોંગ્રેસની કોઈ વિચારધારા નથી કોઈ વ્યવસ્થા નથી: ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા

કોંગ્રેસની કોઈ વિચારધારા નથી કોઈ વ્યવસ્થા નથી: ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા

મારા પર ખોટા આક્ષેપો લગાડવામાં આવે છે
જોકે આ સમગ્ર સભા વિવાદનું મૂળ બનતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવી સ્પષ્ટતા કરી છે ક, મોરબીમાં જ્યારે પુલ તૂટ્યો ત્યારે બચાવવા પડેલા લોકોના કોઈએ એવી તપાસ ન હતી કરી કે એ વ્યક્તિ હિન્દુ છે કે મુસ્લિમ કોઈ રક્તદાન કરે ત્યારે પણ એવી સ્પષ્ટતા કરવા નથી બેસતું કે હિન્દુનું રક્ત છે કે મુસ્લિમ લોકો ધર્મના નામે ખોટી રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે છે મારી જે વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. એ ક્લિપમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જ્યારે હું અલ્લાહુ અકબર બોલું છું ત્યારે સામે પાંચ હજાર લોકો હર હર મહાદેવનો નાદ કરે છે. એવું એક વખત નહીં હું અનેક વખત બોલી ચૂક્યો છું અને મારો હેતુ કોમી એકતાનો છે ધર્મના નામે રાજનીતિ કરવાનો નહીં. જંગલેશ્વર વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું કામ મેં કર્યું છે છતાં મારા પર ખોટા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ તકવાદી પાર્ટી છે: ભાજપ
આ મામલે ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ મીડિયાને કહ્યું હતું કે,’કોંગ્રેસ એ તકવાદી પાર્ટી છે. તેના નેતાઓ તક સાધુઓની જેમ કામ કરે છે. જ્યાં તક મળી ત્યાં નિવેદન આપે છે. ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ વિચારધારા સાથે કામ કરે છે. જ્યારે કોંગ્રેસની કોઈ વિચારધારા નથી કોઈ વ્યવસ્થા નથી રાજનીતિમાં દરેક વ્યક્તિએ તેની પાર્ટીની વિચારધારા અનુસાર કામ કરવું જોઈએ. ઇન્દ્રનીલ રાજ્યગુરુ એવું કહી રહ્યા છે કે ભાજપે તેમની વીડિયો ક્લિપ વાયરલ કરી તો અમે શું કામ વીડિયો વાઇરલ કરીએ. એ સૌ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર લોકોનું ભલું કરવાનું કામ છે અને જો વીડિયો વાયરલ થયો તો ઈન્દ્રની રાજ્યગુરુએ બોલવામાં આમાન્ય રાખવી જોઈએ નહીં કે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવો જોઈએ

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં વાપસી કરી હતી

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં વાપસી કરી હતી

ઇન્દ્રનીલે રાહુલ ગાંધીની માફી માંગી હતી
નોંધનીય છે કે આજથી 5 દિવસ પૂર્વે જયારે રાજકોટમાં રાજકોટમાંકોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય જનસભા સંબોધી હતી. એ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની સ્ટેજ પરથી માફી માંગી હતું અને કહ્યું હતું કે, ‘મેં ભટક ગયા થા ઇસલિયે AAP મે ચલા ગયા થા’

હું લોકોની વચ્ચે તમારી માફી માંગુ છું
AAPમાં 200 દિવસથી વધુ સમય સુધી આંટો માર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં વાપસી કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી હતી અને વધુમાં કહ્યું હતું કે, હું લોકોની વચ્ચે તમારી માફી માંગુ છું. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી. એ વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો. ત્યાં જઈને મને ખબર પડી કે એ લોકો ખોટા છે. એ લોકો ઈમાનદાર નથી ભ્રષ્ટાચારી છે, દેશ ભક્ત નહી દેશ વિરોધી છે. નોંધનીય છે કે, પક્ષપલટા બાદ કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને વિધાનસભા 68 બેઠક માટેની ટિકિટ આપવામાં આવી છે.

કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા

કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા

હું 5 વર્ષ માટે ધારાસભ્ય રહી ચુક્યો છું
ચૂંટણી પ્રચાર દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, આ જ વિસ્તારમાં 5 વર્ષ પૂર્વે હું 5 વર્ષ માટે ધારાસભ્ય રહી ચુક્યો છું. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે જીત મેળવી પણ 5 વર્ષમાં ભાજપના નેતાએ ભાજપની સરકારે કોઈ કામ કર્યું નથી માટે આ વર્ષે 2022ની ચૂંટણીમાં હું ફરી આ બેઠક પર આવ્યો છું જનતાના પ્રશ્નો લઇ વિધાનસભા સુધી પહોંચવાનો છું. મોંઘવારી, બેરોજગારી, રોડ, રસ્તા પાણીના પ્રશ્નો આજે પણ લોકોને સતાવી રહ્યા છે. પાણીની વાતો ભાજપ સરકાર કરે પણ સરકાર એક પણ નવો ડેમ 27 વર્ષમાં બનાવી શકી નથી. માત્ર વાયદાઓ જ કરે છે પણ નિભાવતી નથી તે લોકોની મુખ્ય સમસ્યા છે. આ સાથે જ એક મોકો કોંગ્રેસને આપો તેવી અપીલ મતદારોને કરી હતી.

ઇન્દ્રનીલ પાસે 162 કરોડની સંપત્તિ, વૈભવી કારનો શોખ
પૂર્વ ધારાસભ્ય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કરેલા સોગંદનામા મુજબ તેમણે ધોરણ 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે, તેમના હાથ ઉપર રોકડા રૂ.5.79 લાખ અને તેના પત્ની દર્શનાબેન પાસે રૂ. 34 હજાર દર્શાવ્યા હતા. 2021-22માં ઇન્દ્રનીલે રૂ.41 લાખનું અને પત્ની દર્શનાબેને રૂ.50 લાખનું રિટર્ન ભર્યું હતું, જ્યારે 2018-19માં ઇન્દ્રનીલે 33 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું. પોતાના બેંક ખાતામાં ઇન્દ્રનીલે થાપણ રોકાણ તરીકે રૂ.43 કરોડ, બતાવ્યા હતા, ઇન્દ્રનીલ વૈભવી કારના શોખીન છે, તેમના નામે વોક્સવેગન, લેન્ડરોવર, બીએમડબ્લ્યુ સહિતની કંપનીની કાર અને બીએમડબ્લ્યુ સહિતની કંપનીના બાઇક સહિતના રૂ.2.42 કરોડના વાહનો છે, પત્ની પાસે રૂ.33 લાખના વાહનો અને એક ડઝન વૈભવી કાર છે, ઇન્દ્રનીલ પાસે રૂ.34 લાખનું સોનું અને તેમના પત્ની પાસે રૂ.2.89 લાખનું સોનું છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂછેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય

ઈન્દ્રનીલ રાજ્યગુરૂછેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય

ઇન્દ્રનીલ સામે ગુનો દાખલ
ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે અનેક સ્થળે ખેતીની જમીન, મકાન, ફ્લેટ અને પ્લોટ છે. મુંજકાના વિવિધ સરવે નંબરો, સુરેન્દ્રનગર, હડમતિયા બેડી, કાળીપાટ, રૈયામાં ખેતીની જમીન, વાંકાનેર તાલુકા, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં જમીનના પ્લોટ, જાગનાથ, રૈયા રોડ, મુંજકા, રૈયાગામ અને ધારીમાં 48 કરોડથી વધુ કિંમતના મકાનો છે. કન્સ્ટ્રક્શન અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના પર રૂ.61 કરોડનું અને તેમના પત્ની દર્શાનબેન ઉપર રૂ.14 કરોડનું દેણું દર્શાવ્યું હતું. ઇન્દ્રનીલે જાહેર કરેલી મિલકતોમાં 92 કરોડની સ્થાવર, 87 કરોડની સ્વોપાર્જિત અને રૂ. 47 કરોડની વારસાગત મિલકતો દર્શાવી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ 2017માં વિધાનસભા 69 બેઠક પર તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે ફોર્મ ભરતી વખતે રૂ.141 કરોડની મિલકત દર્શાવી હતી આમ પાંચ વર્ષમાં 59 કરોડની મિલકતનો વધારો થયો હતો. ઇન્દ્રનીલ સામે વર્ષ 2017માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.

AAPમાં ગયેલા કરોડપતિ ઈન્દ્રનીલ ફરી કોંગ્રેસમાં પરત
છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ મહાપાલિકામાં 2000-2005 ટર્મમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પદે અને ઈ.સ. 2007થી 2015 સુધી અને ઈ.સ.2017-18માં શહેર કોંગ્રેસના પ્રમુખ પદે અને 2012 વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં માત્ર એક જ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તેમાં ઈન્દ્રનીલ રાજકોટ-(પૂર્વ) બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઈ.સ. 2017માં તેમણે રાજકોટ(પશ્ચિમ) બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જબ્બર ટક્કર આપી હતી પરંતુ પરાજય થયો હતો. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

જંગલેશ્વર વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું કામ મેં કર્યું છે: ઈન્દ્રનીલ રાજ્યગુરૂ

જંગલેશ્વર વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું કામ મેં કર્યું છે: ઈન્દ્રનીલ રાજ્યગુરૂ

ઈન્દ્રનીલે કોંગ્રેસમાં આવી AAP પર આક્ષેપોનો મારો ચલાવ્યો
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દિલ્હી જઈને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે પોતાના ખાસ વશરામ સાગઠિયા સાથે અમદાવાદમાં AAPનો ખેસ ધારણ કર્યો હતો. શુક્રવારે કેજરીવાલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરતાં જ ઈન્દ્રનીલ નારાજ થયા હતાં અને તાત્કાલિક તેમણે કોંગ્રેસમાં જોડાણ કરી લીધું હતું.

AAP તો અવસરવાદી અને ભાજપની બી ટીમઃ ઈન્દ્રનીલ
AAPને અવસરવાદી અને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ મીડિયાને જણાવ્યું કે, હું AAPમાં એટલે ગયો કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવી જરૂરી છે તેથી મેં AAP જોઈન કરી પણ AAPની જે રીતની ફંક્શનિંગ જોઈ જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે તેમ આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે…