Thursday, November 24, 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે | Prime Minister Narendra Modi will address public gatherings in Palanpur, Modasa, Dehgam and Bavla.

પાલનપુર18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, વડાપ્રધાન પાલનપુર પહોંચ્યા છે. જ્યાં જનસભાને સંબોધીને મોડાસા જશે, ત્યારબાદ દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે. ગઇકાલે વડાપ્રધાને મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

કમળના બટન પર તમે વોટ દબાવો વિકસિત ગુજરાતની ગેરંટી હું આપું છું’
ભાવનગરથી વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એટલે સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે દિવસ રાત જહેમત કરનારી પાર્ટી છે.. ગુજરાતમાં જે જૂની પેઢીના લોકો છે એ બધાને ખબર છે કે, કૉંગ્રેસના શાસનમાં કેવી દશા હતી. દસકાઓ સુધી કૉંગ્રેસનું રાજ રહ્યું અને કેવું રહ્યું. કૉંગ્રેસ સરકારના કામ કરવાના તરીકા કેવા હતા તે જૂની પેઢી ક્યારેય ભૂલશે નહીં.

પાણીને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા
ખરાબ પાણીના કારણે ચામડીના રોગ અને બીમારીઓ સામાન્ય વાત હતી. તેના કૉંગ્રેસ પાસે બે જ ઉપાય હતા. એક પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડ પંપ લગાવવાનો અને બરાબર કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું. હું પાઈપલાઈનથી પાણી આપવાની વાત કરતો ત્યારે કૉંગ્રેસના લોકો વિધાનસભામાં મારી મજાક ઉડાવતા હતા.

ગુજરાતમાં સેમી કંડકટર બનાવવાનું કામ ધોલેરામાં થશે
પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા સેમિ કંડકટર વગર એક ડગલું ચાલે નહીં, એ બનાવવાનું કામ ધોલેરામાં થવાનું છે. જેનો લાભ આખા દેશને થશે. દોઢ લાખ કરોડનું રોકાણ થશે. આ પ્રોજેક્ટના કારણે બે લાખ લોકોને રોજગારી મળવાની છે.

મેરિટાઈમ મ્યુઝિયમથી લોથલ પર્યટનનું કેન્દ્ર બનશે
પીએમ મોદીએ ભાવનગરમાં કહ્યું હતું કે, ભાવનગરના કિનારે લોથલમાં હિન્દુસ્તાનનું પહેલું મેરિટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે.જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે દુનિયામાંથી લોકો આવી રહ્યા છે તે રીતે લોકો ભારતની મેરિટાઈમની તાકાતનું મ્યુઝિયમ જોવા માટે લોથલમાં આવશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી
વડાપ્રધાને ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરી પોતાના બાળપણના કિસ્સાને યાદ કર્યો હતો. કહ્યું હતું કે, હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે ભાવનગર કયા ખૂણામાં આવ્યું તેની પણ ગતાગમ ન હતી.એ વખતે અમારી શાળામાં એક નાટકનો કાર્યક્રમ હતો.એ સમયે અમારી શાળાના શિક્ષક હતા એમણે મને કૃષ્ણકુમાર સિંહજીનો રોલ ભજવવા પસંદ કર્યો હતો.મારો પહેલો પરિચય હતો આ ધરતી સાથે અને શરૂઆત હતી એ મહાપુરુષ સાથે.

મને રાજકારણની બારાક્ષરી હરિસિંહ દાદાએ શીખવાડી: PM મોદી
વડાપ્રધાને ભાવનગરમાં હરિસિંહ દાદાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મારું તો સૌભાગ્ય છે કે, અમે હરિસિંહ દાદાની આંગળી પકડીને મોટા થયા છીએ.બારાક્ષરી રાજકારણની કેમ લખાય તે હરિસિંહ દાદાએ મને શીખવાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: